SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ ગયેલ દશાર્ણભદ્ર રાજાએ માનનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું તો તેનું વંદન તેને મોલ પમાડનાર થયું. • વંદન ક્યારે ન કરવું ? (પ્રવચન સારોદ્ધાર ગાથા-૧૨૪) (૧) ગુરુ મહારાજ વ્યગ્રચિતવાળા કે વ્યાખ્યાનાદિમાં પ્રવૃત્ત હોય, (૨) તમારી સન્મુખ ન હોય અર્થાત્ પરાગુખ હોય, (૩) નિદ્રા વગેરે પ્રમાદમાં હોય, (૪) આહાર કે નિહાર કાર્યમાં રોકાયેલા હોય કે (૫) આહાર-નિહાર કરવા માટેની તૈયારી કરી રહ્યા હોય, તો આવા સંજોગોમાં વંદન કરાય નહીં. • વંદન કરતી વખતનો અવગ્રહ અને મુદ્રા : ગુરુ મહારાજની ચારે તરફ ગુરુનો અવગ્રહ આત્મ-પ્રમાણ એટલે કે સાડા ત્રણ હાથ પ્રમાણ હોય છે. ગુરુ મહારાજની આજ્ઞા સિવાય તેની અંદર પ્રવેશ કરી શકાય નહીં. વંદન કરતી વખતે જ્યારે રૂચ્છક થી નિહિસાપુ પાઠ બોલે ત્યાં સુધી જિનમુદ્રા સાચવવી આ જિનમુદ્રા એટલે બે પગ વચ્ચે આગળની બાજુ ચાર આંગળનું અંતર હોય અને પાછળ પીંડીના ભાગે ચાર આંગળ કરતા કંઈક ઓછું અને ત્રણ આંગળથી વધારે અંતર હોય તે રીતે સ્થિર ઉભા રહેવું અને યોગમુદ્રા અર્થાત્ બે હાથની આંગળીઓ પરસ્પર પરોવીને, બે હાથને કમળના ડોડાના આકારે મુખ આગળ રાખે તથા બંને હાથની કોણી પેટના છેડાના ભાગે કંઈક પડખા તરફ લાવે એ રીતે વંદન સૂત્રનો નિસીરિઆએ સુધીનો પાઠ બોલે. ત્યારપછી ચૌદ સાંધાની પ્રાર્થના કરવા પૂર્વક પંચાંગી પ્રણિપાત-નમસ્કાર કરે. વંદનના પર્યાયો - (આવશ્યક નિર્યુક્તિ-૧૧૦૩, પ્રવચન સારોદ્ધાર ગાથા ૧૨૭, ગુરુવંદન ભાષ્ય આદિમાં પાંચ નામોથી વંદન શબ્દ જણાવેલ છે) વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, વિનયકર્મ અને પૂજાકર્મ આ પાંચના પણ દ્રવ્ય અને ભાવથી બબ્બે ભેદો કહેલા છે. (અતિ સંક્ષેપમાં તે જણાવેલ છે) (૧) વંદન કર્મ :- પ્રશસ્ત મન, વચન, કાયા વડે સ્તવના કરવી તે. (૨) ચિતિકર્મ :- રજોહરણાદિ ઉપધિ સહિત કુશળ કર્મનું સંચયન કરવું તે. (૩) કૃતિકર્મ :- મોક્ષાર્થે નમસ્કાર આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે (૪) વિનયકર્મ :- જેથી કર્મ વિનાશ પામે તેવી ગુરુ પ્રત્યેની અનુકૂળ પ્રવૃત્તિ. (૫) પૂજાકર્મ :- મન, વચન, કાયાનો પ્રશસ્ત વ્યાપાર. વંદનકર્મમાં શીતલાચાર્યનું. ચિતિકર્મમાં ક્ષુલ્લકાચાર્યનું, કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરક શાળવીનું, વિનયકર્મમાં શાંબ અને પાલકનું અને પૂજાકર્મમાં બે સેવકોનું દૃષ્ટાંત શાસ્ત્રકારે અને ગ્રંથકારે આપેલ છે. (કથાનક સહિતના આ પાંચે પર્યાયોનું વિસ્તૃત વર્ણન ઉપરોક્ત શાસ્ત્ર-ગ્રન્થથી જાણવા. તે અમારા અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧માં પણ નોધેલ છે.) v સૂત્ર-નોંધ : – આ સૂત્રનો છામિ થી નિરિમાણ સુધીનો પાઠ આવશ્યક સૂત્રના અધ્યયન3-“વંદનક'માં આરંભે આવે છે અને શેષ મથUવંદ્યામ પાઠ આવશ્યકસૂત્ર અધ્યયન
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy