________________
૧૪૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૧ પરિપૂર્ણ વિવેચન અને આવશ્યક સૂત્ર નામક આગમના પાઠો સહિત વંદન નામક આવશ્યકનું વિવેચન જાણવા સૂત્ર-૨૯- “વાંદણા સૂત્ર” ખાસ જોવું.
• ઇચ્છામિ - હું ઇચ્છું છું. અર્થાત્ કોઈના દબાણથી નહીં, શરમ કે સંકોચથી નહીં, પણ માત્ર મારી પોતાની અભિલાષાથી ઇચ્છું છું. એટલે કે હું (વંદન) સ્વઇચ્છા પૂર્વક કરું છું. 1 - (આવશ્યક સૂત્ર-૧૦ની વૃત્તિ) ક્રિયાપદ “ઇચ્છવું' અર્થમાં છે. જે અહીં પહેલા પુરુષ એકવચનાન્ત “ઇચ્છામિ રૂપે મૂકેલ છે – હું અભિલાષા કરું છું અથવા ઇચ્છું છું.
– હું ઇચ્છું છું પણ શું ઇચ્છું છું તેનો સંબંધ આગળ વં૩િ શબ્દથી જોડેલ છે. અર્થાત્ હું વંદન કરવાને ઇચ્છું છું. જેને વાંદણા સૂત્ર-૨૯ભાં ઇચ્છાનિવેદન સ્થાનરૂપે ઓળખાવેલ છે. વંદન કરવાની ઇચ્છા તો વ્યક્ત કરી, પણ કોને વંદન કરવાનું? – ક્ષમાશ્રમણ - સાધુને.
• ખમાસમણો :- આ શબ્દમાં “ક્ષમા” અને “શ્રમણ” બે શબ્દો છે.
(આવશ્યક સૂત્ર-૧૦ વૃત્તિ) ક્ષ ક્રિયાપદનો અર્થ “સહેવું” કર્યો છે. તેને મા પ્રત્યય લાગવાથી ક્ષમા શબ્દ બન્યો છે. જેનો અર્થ સહન કરવું એવો થાય છે. વળી દશવિધ યતિધર્મમાં પ્રથમ યતિધર્મ “ક્ષમા” કહ્યો છે.
– શ્રમ - શ્રમણ શબ્દના અનેક અર્થો વૃત્તિકારે કર્યા છે.
– શ્રાતિ-તિ - સંસારના વિષયમાં ખેદવાળો થઈ તપ કરે તે અર્થાત્ શ્રમણ એટલે તપસ્વી, કેમકે શ્રમ્ ધાતુનો અર્થ તપ, ખેદ થાય છે.
– શ્રમણનો બીજો અર્થ છે. વૈરાગી - સંસારના વિષયમાં ખિન્ન. – શ્રમણ એટલે શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવથી વર્તનાર.
– સમન્ ૩Mતિ - (દશવૈકાલિક) જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ સર્વ જીવોને પણ દુઃખ પ્રતિકૂળ છે તેમ માની પોતાને કે અન્યને ન હણે પણ તુલ્ય ગણે.
- (અનુયોગદ્વાર–) સર્વ જીવો પ્રત્યે સમત્વ ભાવ ધરે તે શ્રમણ. – (રાયuસેણિય–) શ્રમણ એટલે સાધુ. આગમોમાં શ્રમણ શબ્દના આવા અનેક અર્થો/વ્યાખ્યાઓ છે.
– ક્ષમાશ્રમ - ક્ષમા શબ્દનો અર્થ અને શ્રમણ શબ્દના અર્થો જોયા. હવે ક્ષમાશ્રમણ શબ્દનો સંયુક્ત અર્થ જોઈએ તો – જેનામાં ક્ષમાનો ગુણ મુખ્ય હોય તેને ક્ષમાશ્રમણ કહેવાય છે. ક્ષમાપૂર્વક તપ (આદિ) કરનાર તે ક્ષમાશ્રમણ.
- યતિધર્મના દશ ભેદમાંના પહેલા ભેદરૂપ ક્ષમા અર્થને સ્વીકારીએ તો – ક્ષમા પ્રધાન શ્રમણ અર્થ થશે. અર્થાત્ ક્ષમા આદિ દશવિધ ધર્મથી યુક્ત એવા શ્રમણ. ૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. શૌચ, ૫. સત્ય, ૬. સંયમ, ૭. તપ, ૮. ત્યાગ, ૯. આકિંચચ અને ૧૦. બ્રહ્મચર્ય તે સમાદિ દશ પ્રકારનો યતિધર્મ
– ક્ષમાના ઉક્ત બંને અર્થ સિવાય પરંપરાથી આ શબ્દનો ત્રીજો અર્થ થાય છે – વિષય જ્ઞાનવાળા કે પૂર્વધર કે સૂત્ર સિદ્ધાંતની વાંચના આપનાર કે ભાખ્યાદિ