________________
ખમાસમણ-સૂત્ર
૧૪૧
Hસૂત્ર-૩)
ખમાસમણ સૂત્ર - થોભવંદન સૂત્ર
સૂત્ર-વિષય :- આ સૂત્રથી દેવને અને ગુરુને વંદન થાય છે. આ વંદન બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ નમાવીને થતું હોવાથી આ ખમાસમણ સૂત્રને (પંચાંગ) પ્રણિપાત સૂત્ર પણ કહે છે તેમજ થોભનંદન નામે પણ આ સૂત્રનો ઉલ્લેખ થાય છે. સૂત્ર-મૂળ :
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજૂજાએ નિમીડિઆએ,
મલ્યુએણ વંદામિ. - સૂત્ર-અર્થ :
હે ક્ષમાશ્રમણ ! હું સર્વ શક્તિ સહિત, સર્વ પાપ વ્યાપારોને ત્યાગ કરીને વંદન કરવાને ઇચ્છું છું. ...મસ્તક નમાવીને હું વંદન કરું છું.
શબ્દજ્ઞાન :ઇચ્છામિ - હું ઇચ્છું છું
ખમાસમણો - હે ક્ષમાવાળા શ્રમણ ! સમણ - સાધુ, તપસ્વી, સંયમી વંદિઉ - વંદન કરવાને જાવણિજૂજાએ - સર્વશક્તિ એ કરીને સહિત, યાપનીયા વડે, ઉપશમન વડે નિસીડિઆએ - પાપ વ્યાપાર તજીને મ–એણ - મસ્તક નમાવીને વંદામિ - વંદન કરું છું.
- વિવેચન :- આ સૂત્રને ખમાસમણ કે પ્રણિપાત કે થોભવંદન સૂત્ર કહ્યું છે. ક્રિયાને આશ્રીને આ વંદનસૂત્ર છે. કેમકે વંદન ત્રણ પ્રકારે કહ્યા છે – ૧. ફિટ્ટા વંદન - જેમાં બે હાથ જોડીને મસ્તક નમાવવા રૂપ ક્રિયાપૂર્વક “મર્થીએણ વંદામિ' બોલાય છે. ૨. થોભવંદન - જેમાં બે હાથ, બે ઢીંચણ અને મસ્તક એ પાંચ અંગો નમાવી “ઇચ્છામિ ખમાસમણો” પૂર્વક વંદન કરાય છે. તેને થોભ વંદન કહે છે. (જો કે વર્તમાનકાળે બે ખમાસમણ, ઇચ્છકાર સૂત્ર અને અભૂઠિઓ. પાઠ પૂર્વક વંદન કરાય તેને મધ્યમ કે થોભ વંદન કહે છે.) ૩. દ્વાદશાવર્ત કે બૃહત્ વંદન કહેવાય છે. અહીં આપણે થોભવંદન સૂત્રની વ્યાખ્યા વિચારવાની છે. છતાં એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે – સામાયિક આદિ છ આવશ્યકની વાતમાં આવતા વંદન આવશ્યકમાં આ વંદનસૂત્ર નહીં પણ વાંદણા રૂપ સૂત્ર-૨ની વાત આવે છે. તેથી આ વંદન સૂત્રના