SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ વડે રક્ષા થાય, કોઈ વસ્તુનો નિગ્રહ થાય તેને ગુપ્તિ કહે છે. મન, વચન, કાયાથી ઉત્પન્ન થતી અસત્ પ્રવૃત્તિ રોકવી તે ગુપ્તિ. - સંસારના કારણોથી આત્માનું ગોપન કે રક્ષણ કરવું તે ગુપ્તિ. આ ગુપ્તિના ત્રણ ભેદ પ્રસિદ્ધ છે ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાયગુપ્તિ. ૦ ત્રણે ગુપ્તિનું વિવેચન : પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ – - વ્રુત્તિ શબ્દમાં ગુપ્ નો અર્થ છે રક્ષા કરવી, રોકવું કે નિગ્રહ કરવો. જે ક્રિયા --- - - (સ્થાનાંગ સૂત્ર-૧૩૪, સમવાય સૂત્ર-૩, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-૪૪, ઉત્તરાધ્યયન સૂત્ર-૯૫૫ થી ૯૬૦, પ્રવચન સારોદ્ધાર શ્લોક-૫૯૫, તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય-૯/સૂત્ર-૪, શ્રમણસૂત્ર-પાક્ષિકસૂત્રવૃત્તિ, ષડાવશ્યક બાલાવબોધ આદિ અનેક શાસ્ત્રોમાં ગુપ્તિનું વિસ્તૃત વર્ણન છે તેનો સંક્ષેપ અહીં રજૂ કરેલ છે.) ૧. મનોગુપ્તિ :- મનનો પ્રશસ્ત નિગ્રહ. મનને દુષ્ટ સંકલ્પો કે દુષ્ટ વિચારોમાં પ્રવર્તવા ન દેવું. મનના સાવદ્યસંકલ્પ કે આર્તધ્યાન રૌદ્રધ્યાનરૂપ અશુભ વિચારોથી નિવૃત્તિ અને શુભ સંકલ્પો કે ધર્મધ્યાન શુક્લધ્યાન રૂપ શુભધ્યાનમાં મનની પ્રવૃત્તિ તે મનોગુપ્તિ અથવા કુશલ-અકુશલ બંને સંકલ્પ માત્રનો નિરોધ. મનોગુપ્તિના ચાર પ્રકાર છે. સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા. યતના સંપન્ન મુનિ સંરભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. – મનોગુપ્તિ ત્રણ પ્રકારે છે – (૧) અસત્ કલ્પના વિયોજની - આર્ત્તરૌદ્ર ધ્યાનના કારણભૂત દુષ્ટ કલ્પનાઓની પરંપરાથી મનની નિવૃત્તિ. (૨) સમતા ભાવિની પરલોકમાં સુખ આપનારી, શાસ્ત્રાનુસારી ધર્મધ્યાનમાં હેતુભૂત એવી માધ્યસ્થવૃત્તિમાં મનની સ્થિરતા. (૩) આત્મારામતા-શુભાશુભ સર્વ મનોવ્યાપારથી રહિત ચૌદમા ગુણસ્થાનકવર્તી આત્માની યોગનિરોધ અવસ્થાનો આત્માનંદ. - - આ રીતે અકુશલ મનનો નિરોધ, કુશલ મનની પ્રવૃત્તિ અને સર્વથા મનનો નિરોધરૂપ મનોગુપ્તિ ત્રણ પ્રકારે શ્રી તીર્થંકર દેવોએ કહેલી છે. ૨. વચનગુપ્તિ :- વાણીનો પ્રશસ્ત નિગ્રહ. · પ્રયોજન સિવાય કંઈ બોલવું નહીં તે. - યાચના કરવી, માંગવું કે પૂછવું અથવા પૂછેલાનું વ્યાખ્યાન કરવામાં અથવા નિરુક્તિ આદિ દ્વારા તેનું સ્પષ્ટીકરણ કરવામાં વચનનો જે પ્રયોગ થાય, તેનો સમ્યક્ રીતે નિરોધ કરવો તે વચનગુપ્તિ કે મૌન દ્વારા વચન વ્યાપારની નિવૃત્તિ અથવા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનપ્રવૃત્તિ એ વચનગુપ્તિ છે. વચનગુપ્તિના ચાર પ્રકાર છે -- સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા, યતના સંપન્ન મુનિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન વચનનું નિવર્તન કરે. વચનગુપ્તિ બે પ્રકારે છે – (૧) મૌનાવલંબની :- મુખ, નેત્ર, ભ્રૂકુટિ, અંગુલી વગેરેની ચેષ્ટા કે ઉધરસ વગેરેના શબ્દો, પત્થરાદિ ફેંકવું, ઉભા થવું, હુંકારો
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy