SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ પાંચમાં મહાવ્રત સ્વરૂપે કહ્યા છે. (૨) નવીન એટલે ગ્રહણ કરવું અને હિદ્ધા એટલે ધર્મોપગરણ સિવાયનું ધર્મોપગરણ સિવાયનું જે ગ્રહણ કરવું તેનો સર્વથા ત્યાગ. તે-તે શાસનના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓને પરિગ્રહનો ત્યાગ કહે ત્યારે સ્ત્રી પણ પરીગ્રડ જ છે. માટે તે પણ ત્યાજ્ય જ છે તેમ સમજી શકે છે, માટે ચોથા વ્રતમાં તેનો સમાવેશ થઈ જ જાય છે. અહીં પાંચ મહાવ્રત કહ્યું તેમાં માત્ર ફર્ક એટલો જ છે કે પ્રથમ અને છેલ્લા તીર્થકરના સાધુ-સાધ્વી પ્રાજ્ઞ-બુદ્ધિશાળી ન હોવાથી તેમને ચતુર્યામને બદલે ચોથું અને પાંચમું વ્રત બંને અલગ કરીને નિર્દેશેલ છે. માટે પાંચ એવું સંખ્યાવાચી વિશેષણ મૂક્યું છે. તેનો અર્થ “પાંચ-જ" એવો ન સમજવો. અન્યથા બાકીના તીર્થકરોના શાસનના સાધુને (ઉપાધ્યાય, આચાર્યન) “નમો” શબ્દથી (નવકારમંત્રમાં) વંદન થશે નહીં. પણ પ્રથમ અને છેલ્લા તીર્થંકરના શાસનમાં આ સંખ્યા પાંચ જ છે તેમ સમજવું. આ આખા વાક્યમાં પં એટલે પાંચ અને યુત્ત એટલે યુક્ત કે ધારક શબ્દ સામાન્ય છે. જેની વિશેષ વ્યાખ્યા કરવાની છે તેવો શબ્દ છે મહÖય - મહાવ્રત. જેમાં મહા એટલે મહાનું અથવા વિશેષ મોટું. જે પાળવામાં કઠીન છે. ઘણાં પુરુષાર્થે સાધ્ય છે તે અને વ્રત એટલે સંયમને લગતી પ્રતિજ્ઞા અથવા (હિંસા-મૃષા આદિ) તેતે પાપોથી વિરમવું તે. જેની સંખ્યા પાંચની છે. આ મહાવ્રતને મૂળ ગુણ અને સર્વવિરતિ નામે પણ ઓળખવામાં આવે છે. આ મહાવ્રતોમાં ચાવજીવન મન, વચન, કાયાથી કરવા-કરાવવા અને અનુમોદવા રૂપ પચ્ચક્ખાણ હોવાથી તે દેશવિરતીની અપેક્ષાએ મહાનું છે. વધુ ગુણવાળા છે માટે પણ મહાવ્રત કહેવાય છે. આ પાંચ મહાવ્રતોના નામો આ પ્રમાણે છે – (આચારાંગ સૂત્ર-પ૩થી, ઠાણાંગ સૂત્ર-૪૨૩, પાક્ષિક સૂત્ર મુજબ) (૧) સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, (૨) સર્વથા મૃષાવાદથી વિરમણ, (૩) સર્વથા અદત્તાદાનથી વિરમણ, (૪) સર્વથા મૈથુનથી વિરમણ, (૫) સર્વથા પરિગ્રહથી વિરમણ. સામાન્ય ભાષામાં કહીએ તો હિંસા, અસત્ય, ચોરી, મૈથુન પરિગ્રહનો સર્વ પ્રકારે ત્યાગ કરવો તે. આ પાંચ મહાવ્રતને વિસ્તારથી જાણવા (આચારાંગ, ઠાણાંગ, સમવાયાંગ, પાકિસૂત્ર, તત્ત્વાર્થ સૂત્ર, શ્રાદ્ધદિન કૃત્ય, યોગશાસ્ત્ર આદિ શાસ્ત્રો ગ્રન્થો મુજબ) સંક્ષિપ્ત વિવેચન : • પાંચ મહાવ્રતોનો અર્થ અને પ્રતિજ્ઞા :-૦- પ્રાણાતિપાત વિરમણ - પ્રાણાતિપાત એટલે હિંસા, તે ન કરવી. -૦-સર્વથા પ્રાણાતિપાત વિરમણ :- પહેલા મહાવ્રતમાં હિંસાથી અટકવું - સર્વથા હિંસાનો ત્યાગ કરવો. – ત્રસ કે સ્થાવર તથા સૂક્ષ્મ અને બાદર એમ સર્વ પ્રકારના જીવોની હિંસા મન, વચન કે કાયાથી કરવી નહીં, કરાવવી નહીં કરનારની અનુમોદના કરવી નહીં એ રીતે સર્વ પ્રકારે હિંસાથી વિરમવું – અટકવું તે સર્વથા પ્રાણાતિપાત વિરમણ નામક
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy