SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પંચિંદિય સૂત્ર-વિવેચન ૧૨૩ ગુણવાનું છું એવું તે માને છે. આવી માન્યતા તે માન, બીજાની ઇર્ષ્યા કરવી અને પોતાનો ઉત્કર્ષ બતાવવો તે માન છે. - માનના પણ (ક્રોધની માફક) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે. -૦- માયા :- માયાનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે. – માયા એટલે લુચ્ચાઈ, કપટ, દગો કે અન્યને છેતરવાની વૃત્તિ. તત્ત્વાર્થ ભાષ્યમાં તેને માટે પ્રસિધિ, ઉપધિ, નિકૃતિ, આચરણ, વંચના, દંભ, કૂટ, અતિસંધાન, અનાર્જવ આદિ પર્યાય શબ્દો વપરાયેલ છે. – માયા મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ તે માયા, વંચનાદિ અર્થમાં જે કરાય છે તે માયા છે. - માયાના પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે. -૦- લોભ :- લોભનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે, મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે. – લોભ એટલે તૃષ્ણા, લાલસા, અસંતોષ કે વધુમાં વધુ લેવાની વૃત્તિ, તત્ત્વાર્થભાષ્યમાં તેને માટે પર્યાયરૂપે લાલચ, રાગ, ગૃદ્ધિ, ઇચ્છા, મૂછ, સ્નેહ, કાંક્ષા, અભિવૃંગ-આસક્તિ શબ્દો જણાવેલ છે. – લોભ મોહનીયકર્મના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ તે લોભ તે અતિગૃદ્ધિ, આસક્તિપણું કે જેના વડે લોભાય તે રૂપે ઓળખાય છે. – લોભના પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે. -૦- અનંતાનુબંધી આદિ ચાર ભેદ :- ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયોના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચારચાર પેટા ભેદો કહ્યા છે. એ રીતે કષાયના ૧૬ ભેદ થાય છે. આ વાતનો ઉલ્લેખ ચારિત્ર મોહનીય કર્મના કષાય ચારિત્ર મોહનીયની ૧૬ ઉત્તર પ્રકૃતિરૂપે મળે જ છે. તે ચારે આ પ્રમાણે -૦- અનંતાનુબંધી કષાય :- જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે કર્મ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર પ્રકારે છે. – અનંતાનુબંધી કષાયથી સમ્યગ દર્શનનો ઉપઘાત થાય છે. તેનો ઉદય હોય ત્યારે સમ્યગદર્શન ઉત્પન્ન થતું નથી. – અનંતાનુબંધી કષાય (ઉત્કૃષ્ટથી) જાવજીવ સુધી રહે છે. તે નરકગતિને આપનારો છે. ત્રણે ભુવનમાં અનંતા જન્મોનો બંધ કરાવતા હોવાથી ક્રોધાદિ ચારેને અનંતાનુબંધી કહ્યા છે. -૦- અપ્રત્યાખ્યાન કષાય :- જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય છે. તેને અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કહે છે.
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy