________________
૧૧૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧
સાથે પસાર કર્યા. વૈરાગ્યનું નિમિત્ત મળતા આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લીધી. એક વખત ગુરુ મહારાજની અનુમતિથી કોશાગણિકાને ઘેર ચોમાસુ કર્યું. ત્યાં સ્પર્શ માટે વિનંતી કરતી સ્વરૂપવાન્ એવી કોશા ગણિકા હતી. જે ષડ્રસ ભોજન કરાવતી હતી. તેની નૃત્યશાળા વિવિધ સુગંધોથી મઘમઘતી હતી. કોશાગણિકા વિવિધ અંગ ભંગીપૂર્વક નૃત્ય કરી રહી હતી. સુમધુર સંગીત રેલાઈ રહ્યું હતું. પાંચે ઇન્દ્રિયોના રાગને પોષક વાતાવરણ હતું. ત્યાં સ્થૂલભદ્ર સ્વામી એક-બે દિવસ નહીં પણ પૂરું ચાતુર્માસ રહ્યા. તેમ છતાં પોતાના વ્રતથી ચલિત ન થયા. પણ કોmગણિકોને પ્રતિબોધ કરી શ્રાવિકા બનાવી પાછા આવ્યા – આ છે. પંચિંદિય સંવરણનું દૃષ્ટાંત. કેમકે ઇન્દ્રિય શબ્દનો અર્થ જાણવાથી, તેની સંખ્યા કે નામો જાણવા માત્રથી વ્યાખ્યા અધુરી રહે છે. ઇન્દ્રિયોની સાથે તેના વિષયો જાણવા જરૂરી છે.
- (૧) સ્પર્શનેન્દ્રિય :- સ્પર્શન ઇન્દ્રિય એટલે ત્વચા કે ચામડી જે સ્પર્શ કરે, જેના દ્વારા સ્પર્શના પર્યાય જાણી શકે તેને સ્પર્શન કહેવાય છે. આ સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. તેના આઠ ભેદ છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કઠોર, ભારે અને હલકો અર્થાત્ સ્પર્શનેન્દ્રિય વડે આ આઠ બાબતો જાણી શકાય છે.
- (૨) રસનેન્દ્રિય :- રસનેન્દ્રિયનો વિષય રસ છે. જે ચાખી શકાય તે રસ, રસનેન્દ્રિય એટલે જીભ જે રસના પર્યાયોને જાણે છે. આ રસના પાંચ ભેદો છે અથવા ચાખવાથી પાંચ બાબતો જાણી શકાય છે. મીઠો, ખાટો, ખારો, કડવો અને તીખો રસ. (જો કે પાક્ષિક સૂત્રમાં છઠો તુરો રસ ગણી રસના છ ભેદ કહ્યા છે.)
- (૩) ઘ્રાણેન્દ્રિય :- ધ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે. જે સુંઘી શકાય તે ગંધ. દ્માણ ઇન્દ્રિય એટલે નાક. તે ધ્રાણ ગુણને ગ્રહણ કરે છે. તેના બે ભેદ છે અથવા સુંઘવાથી બે વિષયો જાણી શકાય છે. સુગંધ અને દુર્ગધ.
- (૪) ચક્ષુરિન્દ્રિય :- ચક્ષુરિન્દ્રિય એટલે આંખ કે ચક્ષુ. ચક્ષુ ગુણ રૂપનો વિષય કરે છે. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય વર્ણ છે. જે જોઈ શકાય તે વર્ણ કે રૂપ આ રૂપના પાંચ ભેદ છે. શ્વેત, નીલો, પીળો, લાલ અને કાળો. જોવાથી આ પાંચવર્ણને જાણી શકાય છે.
- (૫) શ્રોત્રક્રિય :- શ્રોત્રેન્દ્રિય એટલે કાન. તે શ્રોત્ર ગુણનો વિષય છે શબ્દ. કેમકે જે સાંભળી શકાય તે શબ્દ. આ શબ્દ નામનો વિષય ત્રણ રીતે ગણે છે - સચિત્ત શબ્દ (જીવંત પ્રાણીનો શબ્દ), અચિત્ત શબ્દ (જડ પદાર્થનો શબ્દ), મિશ્ર શબ્દ (ઉક્ત બંને શબ્દોનું મિશ્રણ. જેમકે - વાદ્ય ધ્વનિ સહ લોકોનું ગીત ગાન). જો કે તત્વાર્થ સૂત્રમાં સુસ્વર અને દુ:સ્વર એવા બે ભેદો પાડેલા છે. તત્ત્વાર્થની સિદ્ધસેનીય ટીકામાં શબ્દના ગર્જિત આદિ અનેક ભેદો કહ્યા છે.
આ પાંચે ઇન્દ્રિયોના પણ દ્રવ્ય અને ભાવથી બે-બે ભેદો છે. (જેનું વિસ્તૃત વર્ણન પન્નવણ, વિશેષાવશ્યક ભાષ્ય, તત્ત્વાર્થ સૂત્રાદિમાં જોવા મળે છે. તેને સંક્ષેપમાં જોઈએ તો-) દ્રવ્ય ઇન્દ્રિયના પણ બબ્બે ભેદો છે. નિવૃત્તિ ઇન્દ્રિય અને ઉપકરણ ઇન્દ્રિય નિવૃત્તિ એટલે ઇન્દ્રિયનો બાહ્ય અને અત્યંતર આકાર. જેમકે કાનનો બાહ્ય