SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર મંત્ર-સાધુ સર્વ શબ્દથી બકુશ, કુશીલ, ગુલાક, નિર્ગસ્થ કે સ્નાતક પાંચ પ્રકારના સાધુને ગ્રહણ કર્યા છે. સર્વ શબ્દથી જિનકલ્પિક, પ્રતિમાકલ્પિક, યથાલંદકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, અસ્થિતકલ્પિક, સ્વિતાસ્થિતકલ્પિક કે કલ્પાતીત એ સર્વેને વૃત્તિકારે ગ્રહણ કર્યા છે. સર્વ શબ્દથી સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, ભરત ક્ષેત્રના, ઐરાવત ક્ષેત્રના કે મહાવિદેહ ક્ષેત્રના, જંબૂતીપ, ધાતકીખંડ કે અર્ધપુષ્કરવરતીપના, સુષમદુષમાદિ આરાના એમ સર્વે સાધુ ગ્રહણ કરવાનું સૂચવે છે. પ્રત્યેક ક્ષેત્ર અને પ્રત્યેક કાળના સાધુને પણ નમસ્કાર. - ગ્રન્થ આધારિત સમજ :- સવ્વ અર્થાત્ સર્વ/બધા સાધુને “નમો' એ અર્થમાં ગ્રહણ કરેલ છે. આ જ વાત નીવંત છે વિ સાહૂ સૂત્રમાં પણ જોવા મળે જ છે. આગળ વધીને સવ્ય શબ્દ માટે ગ્રંથકારોએ ત્યાં સુધી કહ્યું કે, આજના દીક્ષિત હોય કે પર્યાય થવીર હોય, બાલમુનિ હોય કે વયસ્થીર હોય, અજ્ઞાની હોય કે શ્રુત Wવીર હોય, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, પૂર્વધર કે બહુશ્રુત હોય પ્રત્યેક સાધુને નમસ્કાર કરવાના ભાવથી આ સવ્વ- સર્વ શબ્દ ગ્રહણ કરવો. (ખાસ કરીને જ્યારે વર્તમાનકાળે સવ્વ નું મમ કરી દીધું છે અર્થાત્ સર્વ સાધુને નમસ્કારને બદલે મારા સાધુને અર્થાત્ મેં માનેલા ગુરુને જ નમસ્કારની પ્રવૃત્તિ ચાલે છે ત્યારે આ “સર્વ” શબ્દ સમજવો ઘણો જરૂરી છે.) -૦- સવ્વ શબ્દના અન્ય અર્થો - ભગવતીજી વૃત્તિ મુજબ :- સવ્વ શબ્દથી સર્વે ગુણવાનોને અવિશેષિતપણે પ્રતિપાદિત કરતા આ સબ્ધ શબ્દ અરિહંત આદિ બધાને લાગુ પડે છે. તેથી સવ્વ અરિહંતાણં, સવ્વ સિદ્ધાણં, સવ્વ આયરિયાણં, સવ્વ ઉવજ્ઝાયાણે એમ સમજી લેવું અથવા - સર્વ જીવોના હિતને માટે પ્રવર્તતા એવા સાધુ અથવા - સર્વ શબ્દથી સર્વજ્ઞ અરિહંતના જ સાધુ, બુદ્ધ, શાક્ય આદિના સાધુઓને અહીં ગ્રહણ કરવા નહીં અથવા - સર્વે શુભ યોગોને સાધતા કે કરતા તેવા સાધુ. અથવા - સર્વ (સાળંન) અરિહંતની આજ્ઞાની આરાધના કરતા કે પ્રતિષ્ઠિત અર્થમાં સાધના કરતા એવા સાધુ. અથવા - સવ્વ શબ્દનો શ્રવ્ય અર્થ કરતા - અર્ડના વાક્ય (પ્રવચન)ને શ્રવણ કરતા એવા સાધુ અને સવ્ય અર્થ કરતા - અનુકૂળ એવા જે કાર્યો તેમાં નિપુણ એવા સાધુ, એમ વૃત્તિકાર કહે છે. -૦- નો શબ્દનો અર્થ :- સાધુ પદની મુખ્યતાથી પહેલા સાધુ શબ્દના અર્થો જોયા. ત્યારપછી સબ્ધ શબ્દ સાધુ સાથે સંકડાયેલ વિશેષણ જેવો હોવાથી તેના અર્થો જોયા. છેલ્લે “લોએ” શબ્દ લીધો. કેમકે ભગવતીજી સૂત્રના સંપાદનોમાં તેમજ તેની હસ્તલિખિત ઘણી
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy