________________
૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં
કશુ નથી, તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં)
બીજો કઈ ધમ નથી એમ જાણ. ૧પ૯.
મુનિએ કહ્યું : હે રાજન! તને અભય છે અને તું પણ અભયદાના બન. આ અનિત્ય જીવલોકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છે ?
પ્રકરણ ૧૩ : અપ્રમાદ સૂર ૧૬૦ આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા
આ મારે કરવું છે અને આ નથી કરવું–આ પ્રમાણે અિધ્યા બકવાસ કરનાર પરપને ઉઠાવી લેવાના
સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે, તે શા માટે
પ્રમાદ કરવો ? ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ
સૂતે રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે, એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વ – અજિત કને ખંખેરી નાખે. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક માટે સૂવું શ્રેયસ્કર છે – આવું ભગવાન શ્રી મહાવીર સ્વામી એ વત્સ દેશના રાજા શતાનીકની બહેન “જયંતી ને કહ્યું હતું.
૧૬ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org