________________
* કાળાં નાણાનું મહત્તવ વસ્તુત: ધર્મ–પોષક નથી ધમ–વિધાતક છે, માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે, અને તેને અનુરૂપ પરિવર્તન – પરિમાર્જન કરવા પ્રખર પુરુષાર્થ ને અણનમ હિંમતની જરૂર છે.
* ટુંકમાં ગચ્છનો મહિમા એ જ શાસનને મહિમાં નથી. સંપ્રદાયની ચડતી – પડતી એ જ શાસનની ચડતી – પડતી નથી, અને, મંદિર, મહત્ય, ઉપાશ્રયો ને વરડા એ જ કંઈ જિનશાસન નથી. ખરું જિનશાસન તે આપણા આત્મામાં વસે છે. અનેકાન્ત, અહિંસા, અપરિગ્રહ, આચાર – શુદ્ધિ, વિતરાગતા, અને, વિશ્વમૈત્રી એ જ વાસ્તવિક જિનશાસન છે.
અને છેલ્લે શ્રી વિજય વલભસૂરિજીએ કહેલું તે વાંચીએ: “બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ, શ્રી મહાવીર સ્વામીની જય જય બેલે અને જિનશાસનની વૃદ્ધિ માટે “જૈન વિશ્વવિદ્યાલય” નામે એક સંસ્થા સ્થાપિત થાય, તેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય, અને ધર્મને બાધ ન આવે તેવી રીતે રાજ્યાધિકારમાં જૈનેને વધારે થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને ભૂખનું દુઃખ ન રહે ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org