________________
* આજે “આગમ – વ્યવહાર રહ્યો નથી. જીત વ્યવહારથી આ કાળમાં સંઘનું સંચાલન અને ધર્મનું આચરણ થાય છે. “જીત વ્યવહાર” એટલે પરંપરા. અમુક વખતે અમુક સંજોગોમાં સંવત્સરી ભાદરવા સુદ ૪ ની એકાદ આચાર્યો કરી, જે તે સંગમાં ઉચિત હતું, પરંતુ, જડતાને લીધે, ઘણું ગચ્છના શ્રમણોએ, પાંચમ સાચી ને પવિત્ર જાણવા છતાં, ચોથ પકડી રાખી, તેને જ પ્રચાર કર્યો -પરંપરાને નામે.
એ પ્રભુએ ચીંધેલા સમતા, અહિંસા અને સંયમની વૃત્તિની કઈને ચિતા નથી. તેમને તો પિતાના ગચ્છને, અને તે મારફત, પિતાના વિજયનો, ડંકે વાગે તે જોવા તે લોકે આતુર હોય છે.
* જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યાનો રોમન સમ્રાટ ની “ફીડલ’ વગાડતે હતા – જો કે પાછળથી તેને ઘણો પશ્ચાતાપ થયેલો. અહિં તે ધર્મના નામે, ધર્મના બહાને, ને ધર્મના ઓઠા હેઠળ, વેર – ઝેર, વાદવિવાદ, ચડસા – ચડસી, ધાંધલ – ધમાલ – ઘાંઘાટ,અને બેલા-બેલી, મારા-મારી, કાપા-કાપી, ચાલે છે, છતાં કોઈને જરા પણ પશ્ચાત્તાપ થતો નથી !
* પક્ષ-મેહને શાસન રક્ષાનું રૂપાળું નામ આપતાં પણ આપણે શરમાતા નથી – એ તે આપણી ધિદ્વાઈની ચરમ સીમા છે. જુઓ તે ખરા વિશ્વને પ્રાચીનતમ ધામ, વિશ્વ – કલ્યાણ- ભાવનાવાળા ધમની અર્વાચીન દશા ! એટjય સમજાતું નથી કે અંતતોગત્વા ક્રિયાકાંડ માનવ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org