________________
પ૭
(૧) છે. કવિન શાહ, બીલીમોરા નિવૃત્તિમાં આપની જ્ઞાનની પ્રવૃત્તિ આત્માભિમુખ થવા, કર્મબંધમાંથી અટકવા ઉપકારી છે. આપના વિચારે ઉત્તમ છે, સંતસમાગમની અપેક્ષા આ પુસ્તકથી પૂર્ણ થાય છે.
(૨) પ. પૂ. મુનિશ્રી પ્રશાન્ત–રન–વિજયજી મ. સા.
વિશેષ જ્ઞાતવ્ય છે કે આપશ્રી દ્વારા પ્રેષિત સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ અવલોકન કર્યું. જૈન ધર્મના પ્રાથમિક કક્ષાના અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ નિવડે તેમ છે. થોડામાં ઘણું સમાવી લીધું છે. ધન્યવાદ
લિ.: પ્ર શા ન્ત ના ધર્મલા ભ.
(૩) શ્રી હરીશભાઈ : જામનગર
આપ આપના પુસ્તકમાં જે વેદના અનુભવે છે તે ગ્ય જ છે. બાહ્ય આડંબર અને ક્રિયાકાંડ વધ્યા છે અને આંતરિક શુદ્ધિ ઘટી છે. અગ્નિનાં એક તણખામાં અસંખ્યાતા જીવ, પાણીનાં એક ટીંપામાં અસંખ્યાતા જીવ, ફૂલની એક પાંદડીમાં અસંખ્યાતા જીવ કહ્યા છે, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કાયના જીવોને કચ્ચરઘાણ નીકળી જાય છે અને તે પણ ધર્મના નામે. પ્રભુએ ધર્મને નામે કે ધર્મને માટે પણ હિંસા નહીં કરવાનું સ્પષ્ટ ફરમાન શાસ્ત્રોમાં કરેલ છે, છતાં એ ભૂલીને આપણું શ્રાવકો આરંભ સમારંભ કરી, છ કાયના જીવોની દયા તરફ દુર્લક્ષ સેવે છે. બીજી બાજુ બાહ્ય તપ ખૂબ વધ્યું છે. માસ ક્ષમણોને હિસાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org