________________
યૌવન વય : લગ્ન જીવન : પ્રભુતામાં પગલાં – અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના સભ્ય શ્રી અરવિંદભાઈ શેઠ તથા શારદાબેનની સુપુત્રી કાશમીરા સાથે શ્રી ધનંજયના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષ સાધન-સંપન્ન અને કાશમીરા-ધનંજયનું રૂડું રૂપાળું યુગલ વિધાતાને ઘડતાં પણ કદાચ ઈર્ષા ઉપજાવે તેવું.
જીવન-પ્રવાહમાં આ જુગલ–જેડીની સંસાર-નાવ આનંદ-મંગળ-સુખપૂર્વક સરકતી જતી હતી–પાંચ વર્ષ તો આંખના પલકારામાં પસાર થયા ત્યાં તે “કુર વિધાતા” એ પિતાને કારમે પંજે યુવાન ધનંજય પર ચલાવ્યો.
માનવી પોતાના જીવનમાં કેટકેટલી આશાઓ અને કેટકેટલા અરમાનો સેવતો હોય છે પરંતુ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તેનો ખ્યાલ બિચારાને સ્વને પણ કયાંથી આવે ?
કાળને તો કહીયે , જરાયે ના ચૂકિ. પાંચ આંગળીઓમાંથી, અંગુઠે વાઢ મૂકિચે.”
શ્રી ઉમાશંકર જોષી હજુ તે યૌવનના આંગણે પગરણ-માંડયા ત્યાં જ આટલી નાનકડી જીંદગીમાં કાળ ભરખી ગયો. પોતાના ધંધાર્થે દર મહિને એક વાર મુંબાઈ જતા. આ વખતે પણ હંમેશની જેમ, માતા-પિતા-પત્નીને મળીને, ફૂલ જેવા કેમળ બે બાળકો (“હર્ષ ઉ. વર્ષ ૩, તથા કશા–ઉ. વર્ષ એક)ને રમાડી, સમજવી, રાજ, કરી, “કાલે સવારે તો વહેલા આવી જઈશ” કહી, મુંબાઈ તરફ પ્રયાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org