________________
૨૦
અ રે રે !
છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અ૯૫ થકી ભરેલી.”
“કાલે વહેલો આવીશ” એમ કહેનારને કયાં ખબર હતી કે, “કાલ કાળ લઈ આવશે.
ઉડી જશે વ ર ળ.” દર વખતની જેમ અમદાવાદથી સાંજે મુંબાઈ જતી લકઝરી બસમાં મુસાફરી શરૂ કરી ત્યાં તો અડધે રસ્તે બસને અકસ્માત થતાં ભાઈશ્રી ધનંજય આ ફાની દુનિયાનો ત્યાગ કરી, અન્ય જગાએ જીવન – યાત્રા કરવા ચાલી નીકળ્યા – સંસારના બધા સ બંધ તોડીને – ૨ડતા પરિવાર – માબાપ, પત્ની, બે બાળકોને છોડીને. ન થાક્યા પોતાની જીવન સંગીની – બાળકો, માબાપ, ભાઈ–બહેન કે કુટુંબ પરિવારના સગાં –સંબંધી મિત્ર પરિવાર માટે.
ખરેખર, કુદરત આગળ કોઈનું પણ ડહાપણ ચાલતું નથી. માનવ બિચારો લાચાર છે તેથી શોક-કલેશ કરી આર્તા–ધ્યાન ન કરવું જોઈએ. સરળ, પ્રમાણિક, ન્યાયી, ધર્મ-નિષ્ઠ જીવન પતાવી શ્રી ધનંજય કહેતા ગયા ?
નવ કરશે કોઈ શક, રસિકડાં, નવ કરશે કેઈક.” કારણ આવા મૃત્યુ વખતે ખરેખર તે “મૃત્યુ મરી ગયું રે લોલ” Death, thou shalt die.
માણસનું મરણ કેવી રીતે થાય છે તે અગત્યનું નથી પરંતુ તેનું જીવન કેવું હતું તે અગત્યનું છે. કેમળ પુષ્પ સવારે ખીલી સાંજે કરમાય છે પરંતુ કેવી સુવાસ મુકતું જાય છે, માટે તે કહે છે : ફુલ ગયું, ફેરમ રહી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org