________________
૩૦,
પૃથ અવસ્થામાં પણ એ બધક નથી, એનું કારણ એ છે કે નિરપેક્ષ હોવાને લીધે દુશ્મનની માફક એ બધા પરસ્પર વિરોધી છે. જેવી રીતે વિવિધ અભિપ્રાય ધરાવનારા અનેક સેવક રાજા, સ્વામી કે અધિકારીના વશમાં રહે છે અથવા આપસમાં લડવા-ઝઘડવાવાળા વ્યવહારી માણસ કેઈ ઉદાસીન (તટસ્થ) વ્યક્તિને વશવતી બની મિત્રતા પ્રાપ્ત કરી વાળે છે, તેવી રીતે જ બધા પરસ્પર વિરોધી નય સ્વાદુવાદને શરણે જઈ સમ્યગભાવને પ્રાપ્ત કરે છે, અર્થાત્ સ્વાદુવાદની છત્રછાયામાં પરસ્પર વિરોધનું કારણ (સાવધારણતા) દૂર થઈ જાય છે અને એ બધા સાપેક્ષતાપૂર્વક એકત્ર થઈ જાય છે. જેવી રીતે હાથીનું પૂંછડું, પગ, સૂંઢ વગેરે જે સ્પર્શ કરીને એ હાથી છે એવું માનનારા જન્માધ લોકોને અભિપ્રાય મિથ્યા છે તેવી રીતે અનેક ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે પૂરી વસ્તુ જાણી લીધી છે” એવી પ્રતિપત્તિ-કૃતિ કરનારાઓનું તદ્-વસ્તુ વિષયક જ્ઞાન મિસ્યા ગણાય છે. તથા જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા ચક્ષુષ્માન (દષ્ટિસંપન્ન)નું જ્ઞાન સમ્યક્ બને છે, તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુની સમસ્ત પર્યાને અથવા એના ધર્મોને જાણનારનું જ્ઞાન સભ્ય કહેવાય છે.
૩૧.
૩૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org