________________
૫૫૦,
૧૩૮ ૫૪૯ ૧. તસ્વાર્થ તરક શ્રદ્ધાના અભાવને
મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે – ૧. સંશયિત, ૨. અભિગ્રહિત, અને ૩ અનભિગ્રહિત. ૨. ( તવા શ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે). આ સમ્યક્ત્વ-રત્નરૂપી પર્વતના શિખર ઉપરથી ગબડી પડીને જીવ મિથ્યાત્વ–ભાવની અભિમુખ થઈ ગયા છે - મિથ્યાત્વની તરફ વળી ગયો છે, પરંતુ (સમ્યકત્વનષ્ટ થઈ ગયા પછી પણ) જેણે હજી સુધી પણ સાક્ષાત્ મિથ્યાત્વ ભાવમાં પ્રવેશ નથી કર્યો એ
મધ્યવતી અવસ્થાને “સાસ્વાદન” ગુણસ્થાન કહે છે. પપ૧. ૩. દહીં અને ગોળની મેળવણીને સ્વાદની માફક
સમ્યકત્વ અને મિથ્યાત્વને મિશ્રિત ભાવ એટલે કે પરિણામ જેને અલગ ન કરી શકાય એને સમ્યક્ત્વમિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. ૪. ઈન્દ્રિયોના વિષયોથી જે વિરત થયા નથી તથા ત્રાસ-સ્થાવર જીવોની હિંસાથી પણ ઉપરત થયે નથી પરંતુ કેવળ જિનેન્દ્ર પ્રરૂપિત તવાર્થ માં શ્રદ્ધા રાખતું હોય એ વ્યક્તિ અવિરતસમ્યગદષ્ટિ ગુણસ્થાન-વતી કહેવાય છે.
૫૫૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org