________________
૪૪૧. ૧, અનશન, ૨. અવમય (ઉતરી ),
૩. ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપણ), ૪, રસ–પરિત્યાગ, ૫. કાયકલેશ અને ૬. સલીનતા – આ પ્રમાણે બાહા તપ છ પ્રકારનું છે. (૧ કર્મોની નિર્જરા માટે એક બે દિવસ વગેરેનું યથાશક્તિ પ્રમાણ નકકી કરી આહાર ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનરાન તપ
કહેવાય છે. ૪૪૩. જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય માટે શેડો આહાર કરે છે,
એને જ આગમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તે કેવળ – ભૂખને આહાર
– ભૂખે મરવું – લાંઘણ કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા
ઉત્પન્ન ન થાય, ઈન્દ્રિયમાં શિથિલતા ન આવે, અને જે મન, વચન તથા કાયાના રોગોમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં “અનશન ત૫ કહેવામાં આવે છે. પિતાનાં બળ, તેજ, શ્રદ્ધા અ ૧ આરોગ્યને ધ્યાનમાં લઈ ક્ષેત્ર અને કાળને અનુસાર, પિતે ઉપવાસ કરે. (કારણ કે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં હાનિ થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org