SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦ : જૈન દર્શન થતું નથી એ અને મુક્તિમાંથી જીવે પાછા ફરતા નથી, એ બને સિદ્ધાન્તને આંચ ન આવે એવા રસ્તે પ્રસ્તુત પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે જેટલા જ મુક્તિમાં જાય છે, તેટલા જ સંસારમાંથી બરાબર ખૂટે છે, છતાં જીવરાશિ અનંત હોવાથી સંસાર જીવેથી ખાલી થઈ શકે નહિ; અર્થાત્ સંસારવત્તી જીવરાશિમાં નવા જીવને ઉમેરો બિલકુલ ન હોવા છતાં અને સંસારમાંથી જીવને નિરન્તર ઘટાડે થતું રહેવા છતાં પણ ભવિષ્યમાં કેઈ કાળે જીવને અંત ન આવે એટલા અનંત જીવે સમજવા જોઈએ. આ પ્રમાણે “અનંત’ શબ્દની વ્યાખ્યા શા કરે છે. સૂમમાં સૂક્ષ્મ (અવિભાજ્ય ) વખતને જૈન શાત્રામાં ‘સમય’ કહે છે. “સમય” એટલે સૂક્ષ્મ વખત છે કે તે સમયે એક સેકન્ડમાં કેટલા પસાર થાય છે તે આપણાથી જાણું શકાય તેમ નથી. એવા–સમગ્ર ભૂતભવિષ્ય કાળના સમયે અનંતાનંત છે, તેમ સંસારવત જીવે અનંતાનંત છે, જેની સમાપ્તિ કઈ પણ કાળે થવાને સંભવ નથી. [ પ્રસ્તુત દૃષ્ટાન્ત જીની અનંતતાને કઈ ખ્યાલ આવી શકે તેટલા પૂરતું છે.] જીવના વિભાગ સામાન્ય રીતે જીવના બે ભેદ પડે છે–સંસારી છે અને મુક્ત છે. સંસારમાં ભ્રમણ કરતા જી “સંસારી” કહેવાય છે. “સંસાર” શબ્દ “સમઉપસર્ગ પૂર્વક “સ” ધાતુથી બનેલે છે. “' ધાતુને અર્થ “ગમન,” “ભ્રમણ” થાય છે. “સ” ઉપસર્ગ તે જ અર્થને પુષ્ટ કરનાર છે. એટલે “સંસાર”ને અર્થે થયે “ભ્રમણ. ચેરાસી લાખ જીવનિઓમાં અથવા ચાર ગતિઓમાં પરિભ્રમણ કરવુ તે સંસાર, અને પરિભ્રમણ * મનુષગતિ, તિર્યંચગતિ, સ્વર્ગગતિ અને નરકગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy