SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦૦ જૈન દર્શન ઈશ્વર કર્તા છે” એવા વાક્ય પર કેટલાકને આદર બંધાયે છે તેમને લનુલક્ષીને (તેમના અનુરોધે) પૂર્વોક્ત પ્રકારની-ઈશ્વરકતૃત્વની-દેશના આપવામાં આવી છે એમ આચાર્ય મહારાજ નીચેના લેકથી જણાવે છે– कर्ताऽयमिति तद्वाक्ये यतः केंषाञ्चिदादरः । अतस्तदानुगुण्येन तस्य कर्तृत्वदेशना ।। १३ ।। હવે બીજી રીતે, ઉપચાર વગર ઈશ્વરને કર્તા બતાવે છેपरमैश्वर्ययुक्तत्वान्मत आस्मैव वेश्वरः । स च कतति निर्दोषः कर्तृवादो व्यवस्थितः ।। १४ ।। અર્થ—અથવા આત્મા જ ઈશ્વર છે એમ મનાયું છે, કેમકે દરેક આત્મા (જીવ) એના સાચા રૂપમાં પરમ ઐશ્વર્યયુક્ત છે, અને આત્મા (જીવ) તે ચેખી રીતે કર્યાં છે જ. આવી રીતે ઈશ્વરકર્તુત્વવાદ વ્યવસ્થિત થઈ શકે. ઉપરનાં પાંચ લેંકે પછી એ જ વાતના અનુસખ્યાનમાં ઉપસંહાર કરતાં આચાર્ય મહારાજ કહે છે કે – શાહરા મહારમાળા પ્રાયો વતણૂ મળે વાર્થ પ્રવૃત્તાન્ન સેક્યુમrfષઃ? I ? . જેવું આ કથન જે તે ઔપચારિક રીતે નિભાવી લેવાનું. જૈન દષ્ટિએ ભવસ્થ અને ભવાતીત એમ બે શ્રેણીના પરમાત્મા છે ભવસ્થ પરમાત્મા મન-વાણું-શરીરના ધારક હોઈ હરવું ફરવુ, બોલવું, વગેરે પ્રવૃત્તિઓ કરે છે. તેઓ કલ્યાણભાના-મુક્તિમાર્ગના પેજક, ઉપદેશક અને પ્રચારક છે, તેમજ મુમુક્ષુસંધના સંગઠનકર્તા છે અને ભવાતીત ( સિદ્ધ ) પરમાત્મા સંપૂર્ણ વિદેહ હાઈ સ્વકીય જ્ઞાનજ્યોતિમાં જ રમમાણ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy