SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ :૪૮૨ : જૈન દર્શન કર્યા છતાં કાર્ય સિદ્ધ થયું કે થતું ન હેાય તાયે તેને (તે કા ને ) અનિવાય કમ થી અવરાયેલું શા માટે માની લેવું જોઇએ ? શા માટે, એમ માની હતાશ થઈ કાર્યપ્રવૃત્તિ મૂકી દેવી જોઇએ ? સ`કલ્પબલપૂર્ણ પ્રામાણિક પ્રયત્ન સિદ્ધિને નજીક લાવે છે. તેજસ્વી તપના બળે પેાતાના સકલ્પ પૂરા પડે છે પેાતાની આકાંક્ષા પાર પડે છે. આ કાળ વગેરે પરસ્પર સાપેક્ષપણે ભેગાં મળીને કામ કરનાર હાઈ ‘ સમવાયી ’ કારણ કહેવાય છે. આત્માના મૂળ સ્વભાષ સચ્ચિદાન દરૂપ હાઈ ઉપસ્થિત કર્માનાં ફળ સમભાવથી વેદવા સાથે ભવચક્રના મૂળભૂત તૃષ્ણાને વિદારવા પ્રયત્નશીલ થવાથી પરમકલ્યાણરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાળ તેા જ્યારે ઉત્સાહી અની પ્રયત્નશીલ થઇએ ત્યારે ના' પાડે તેમ નથી. આત્મકલ્યાણ-સાધનમાં આ કારણેાના યાગ જોઈ શકાય છે. આમ વાદભૂમિના બખેડા વખાડી તેના સૌષ્ઠવ પર પ્રકાશ ફેંકતા નીચેના ઉલ્લેખ કેટલેા સરસ છે "Disagreement is refreshing when two men lovingly desire to compare their views to find out truth. Controversy is wretched when it is only an attempt to prove another wrong. —F. W. Robertson 1 અર્થાત્-મતભેદ વા વાદચર્ચા ત્યારે સારી સરસ લાગે છે, જ્યારે સત્ય શોધવા માટે એ માણસે પરસ્પર મૈત્રીભાવથી પેાતાના વિચારોની તુલનાત્મક આલેચના કરવા ચાહતા હેાય છે; પણુ જ્યારે મતભિન્નતા વા ચર્ચા મીજાને ખાટા પુરવાર કરવાના જ પ્રયત્નરૂપ હોય છે ત્યારે તે ધિક્કારવા લાયક હાય છે. હવે જ્ઞાન–ક્રિયા વિષેના સમન્વય જોઇએ. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy