SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન ઇન્દ્રિયા અને એમના દ્વારા જ્ઞાન મેળવનાર આત્મા એ એક હાઈ શકે નહિ. મૃત શરીરમાં ઇન્દ્રિયા હેાવા છતાં મૃતકને તેમના દ્વારા કોઈ જાતનું જ્ઞાન થતુ નથી એનું શું કારણ ? એટલે એ ઉપરથી જણાય છે કે ઇન્દ્રિયા અને તેમના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા જુદો છે. એ સિવાય એ પણ યાદ રાખવુ જોઇએ કે ઇન્દ્રિયે એક નથી કિન્તુ પાંચ છે, એથી ઇન્દ્રિયાને આત્મા માનવા જતાં એક શરીરમાં પાંચ આત્માએ થઈ પડે, જે અઘટિત છે. : બીજી રીતે જોઇએ તે જે માણસની ચક્ષુ ચાલી ગઈ હોય છે તેને પણ ચક્ષુની હયાતીમાં પૂર્વ' દેખેલા પદાર્થા યાદ આવે છે-સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે. ઇન્દ્રિયાને આત્મા માનીએ તે આ વાત નઠુિં અને. ઇન્દ્રિયાથી આત્માને અલાયદા માનીએ ત્યારે જ આ હકીકત બની શકે. કારણ કે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓનું સ્મરણુ, ચક્ષુના અભાવે ન ચક્ષુથી થઈ શકે તેમ છે, ન બીજી ઇન્દ્રિયેાથી થઈ શકે તેમ છે. ખીજી ઇન્દ્રિયાથી સ્મરણ નહિ થવામાં કારણ એ છે કે એક માણસે દેખેલી વસ્તુને જેમ ખીજો માણસ સ્મરણ કરી શકતા નથી, તેવી રીતે ચક્ષુથી દેખાયેલા પદાર્થોનુ બીજી ઇન્દ્રિયાથી સ્મરણ થઈ શકે નહિ. એકને થયેલા અનુભવ બીજાને સ્મરણરૂપ થઈ શકે જ નહિં એ તદ્ન સુગમ હકીકત છે. ત્યારે ચક્ષુથી દેખાયેલી વસ્તુઓને ચક્ષુના ચાલ્યા ગયા પછી સ્મરણુ કરનાર જે શક્તિ છે તે ઇન્દ્રિયાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છે. આત્માએ ચક્ષુ દ્વારા જે વસ્તુએ પૂર્વે પ્રત્યક્ષ કરી હતી, તે વસ્તુઓને, ચક્ષુની ગેરહાજરીમાં પણ પૂર્વ અનુભવથી સ્થાપિત થયેલા સંસ્કારના ઉદ્દેધનખળે આત્મા સ્મરણુ કરી શકે છે. આવી રીતે અનુભવ અને સ્મરણના એક બીજાના [ જે અનુભવે તે જ સ્મરે એવા પ્રકારના] ધનિષ્ઠ સંબંધને લીધે પણ સ્વત ંત્ર ચતન્યસ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy