SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ખંડ : ૪૫૫: ક્રિયામાં એ શબ્દના અર્થરૂપ એ શબ્દથી સૂચિત ] પદાથ જ્યારે પરિણિત હૈાય ત્યારે તે વખતે તે શબ્દ તે અર્થને કહી શકે છે એવા મતનેા છે, પણ એ મતને જ એકાંતે પકડી બેરાજા સૂતા હોય ત્યારે તે રાજા તૃપ કહેવાય જ નહિ એમ એકાંતે વિધાન કરે તે એ એવભૂતાભાસ બને. ' " અત્યાર સુધીના વિવેચન ઉપરથી જાણી શકયા છીએ કે અનેકાંતદૃષ્ટિ અથવા સ્યાદ્વાદ એક વસ્તુમાં વિવિધ ધર્મના સમૂહ જુએ છે, નિરૂપે છે; અને નય તે ધર્માંમાંથી કઈ એક ધમના વિચારરૂપ છે અને તેનું મુખ્યપણે કથન અથવા વ્યવહાર કરે છે સ્યાદ્ભવાદ ‘ સકલાદેશ ’ કહેવાય છે—એટલા માટે કે તે એક ધર્મદ્વારા આખી એક વસ્તુને ‘ સકલ ’– ( અખ'ડ ) રૂપે ગ્રહણ કરે છે, જ્યારે નય વિકલાદેશ કહેવાય છે-એટલા માટે કે તે વસ્તુને વિકલરૂપે અર્થાત્ અંશતઃ [ વસ્તુના એક દેશનુ’-એક ધર્મનું કથન કરે છે. સ્યાદ્વાદ અર્થાત્ સકલાદેશ અથવા પ્રમાણુવાકષ અનેકાંતાત્મક ( અનેકધર્માંત્મક ) વસ્તુને જણાવે છે. જેમકે ‘ જીવ ’· કહેવાથી જ્ઞાન-ગ્દર્શન આદિ અસાધારણ ગુણવાળા, સત્ત્વ-પ્રમેયત્વ આદિ સાધારણ ધર્મવાળા અને અમૃતત્વ, અસંખ્મપ્રદેશિત્વ વગેરે સાધારણસાધારણ ધર્મવાળા જીવના અખંડરૂપે બેધ થાય છે. એમાં જીવના બધા ધર્મો એક (અભિન્ન)રૂપે ગૃહીત થતાં હાઈ ગૌણમુખ્યભાવની વિવક્ષા 'તીન થઈ જાય છે. વિકલાદેશ ( નયવાકય ) વસ્તુના એક ધનુ' મુખ્યતયા કથન કરે છે. જેમકે · ચેતન જીવ અથવા ‘જ્ઞાતા જીવ' એમ કહેવાથી જીવના ચૈતન્ય કે જ્ઞાન ગુણના મુખ્યત્વેન મેધ થાય છે અને શેષ ધર્માં ગૌણુરૂપે અંતગ ત રહે છે. આ પ્રમાણે જોઈ શકાયું કે વાકયના એ ભેદ પડે છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy