SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૩૨ : જૈન દર્શન સમજ પૂરી થાય-જે એ બને જિજ્ઞાસુ હોય તે. જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકની જ ઉપયોગિતાની જેને સમજ હોય અથવા દ્વૈત અને અદ્વૈત જેવા સામસામા દેખાતા સિદ્ધાંતેમાંથી એક જ સિદ્ધાંતની જેને સમજ હોય, તે જે બીજી બાબત તરફ પણ પોતાની વિચારદષ્ટિ લગાવે, એના દષ્ટિબિંદુને પણ યોગ્ય રીતે સમજે તે બીજી બાબતને પણ સ્વીકારે જ. જેમ “પ્રમાણ” એટલે શુદ્ધ જ્ઞાન, તેમ “નય” એટલે પણ શુદ્ધ જ્ઞાન. ફરક એટલે જ કે એક શુદ્ધ જ્ઞાન અખંડ–વસ્તુ સ્પશી છે, જ્યારે બીજી વસ્તુના અંશને સ્પર્શે છે. પણ મર્યાદાનું તારતમ્ય છતાં–એ બને જ્ઞાન છે શુદ્ધ. પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાનને ઉપયોગ “નય ની વાટે થાય છે. કેમકે પ્રમાણરૂપ શુદ્ધ જ્ઞાન જ્યારે બીજાની આગળ પ્રકટ કરવામાં આવે છે ત્યારે તે ખાસ મર્યાદામાં આવી જવાથી “નય” બની જાય છે. વસ્તુની એક બાબત(અંશ)ને સ્પર્શનારી એક નયદષ્ટિને એ જ વસ્તુની બીજી બાબત(બીજા અંશ)ની ખબર હોય પણ ખરી અને ન પણ હોય. જે હોય તે યે પિતાના જ વિષયને સ્પર્શવાની એની મર્યાદા છે. અને વ્યવહારમાર્ગ એ જ હોય છે. જેમકે, જ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા બતાવવી હોય ત્યારે જ્ઞાનનું મહત્ત્વ કે ઉપયોગિત્વ જે વર્ણવાય તે જ્ઞાનદષ્ટિરૂપ જ્ઞાનનયને આભારી છે. તે વખતે, ક્રિયાને પણ સ્થાન છે એની ખબર હોવા છતાં ય જ્ઞાનનય (પ્રસંગાનુરૂપ) જ્ઞાનની જ મહત્તા વર્ણવે. અને એમ કરવામાં એ કશું ખોટું કરતું નથી. હા, બેટુ કરતે તે ત્યારે કહેવાય કે જ્યારે પોતાની વાતને ગાવાની ધૂનમાં ક્રિયાની ઉપયોગિતાના સ્થાનને નષ્ટ કરી નાખે. વસ્તુતઃ સ્યાદ્વાદનીતિ [ અનેકાન્તદષ્ટિ ] કેળવાવી આવશ્યક છે, જેના બળે વસ્તુની જુદી જુદી બાબતે વસ્તુના જુદા જુદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy