SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ખડ : ૩૯૩: હવે આપણે જૈનશાસ્ત્રપ્રતિપાદિત એક વિશ્વવ્યાપી વિશ્વોપયેાગી મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત જોઈએ : સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ 6 પણ વસ્તુનુ જુદા જુદા દૃષ્ટિબિંદુથી અવલેાકન કરવું' કે કથન કરવું એ ‘ સ્યાદ્વાદ 'ના અર્થ છે. એ અનેકાન્તવાદ કહેવાય છે. એક જ વસ્તુમાં ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુએથી સ'ગત થઈ શકતા જુદા જુદા વિરુદ્ધ દેખાતા-ધર્માંના પ્રામાણિક સ્વીકાર ન્યાય (ગૌતમ) દર્શનની પ્રમાણ વિચારણા જેવી જોવામાં આવે છે. સ્થાનાંગસૂત્રમાં ૪ સ્થાનના ૩ ઉદ્દેશમાં ઉપર્યુક્ત ચાર પ્રમાણેાના ઉલ્લેખ છે. કિન્તુ એ સૂત્રમાં ખીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશમાં પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ પ્રમાણેાના પણ ઉલ્લેખ છે, જે નંદીસૂત્રમાં તેા છે જ. ભગવતીસૂત્રમાં ( શતક ૫, ઉદ્દેશ ૩માં) ઉક્ત ચાર પ્રમાણેાના ઉલ્લેખ અનુયાગદાર સૂત્રની સાખ આપી કરેલ છે. સાંવ્યહારિક પ્રત્યક્ષ' એવા પ્રત્યક્ષને વિશિષ્ટ પ્રકાર સહુથી પ્રથમ શ્રી જિનભદ્રગણિજીના વિશેષાવશ્યક ભાષ્યમાં જોવામાં આવે છે. પર ંતુ તે નન્દીસૂત્રના આધાર પર છે, કેમકે નન્દીસૂત્રમાં ઈન્દ્રિયસાપેક્ષ જ્ઞાનને પ્રત્યક્ષ અને પરાક્ષ બન્નેમાં રાખ્યું છે. આ બધા ઉપરથી તારણ નીકળે છે કે જ્ઞાનપંચકની વિવેચના એ ગમકાળની વિવેચના છે અને પ્રત્યક્ષાદિપે પ્રમાણવિભાગની વિવેચના એ એ પછીની તાર્કિક યુગના સંસ્કારવાળી વિવેચના છે. ગમેાની ×સંકલના વખતે પ્રમાણયવાળા તથા પ્રમાણચતુષ્ટયવાળા એમ બન્ને ભગવતીસૂત્રમાં લાંબાકાળ પછી બનેલાં સૂત્રેા ‘ રાઇપસેઈઅ, ’ ‘પન્નવણા,’ ‘ન’દી,’ ‘જીવાભિગમ,’ અનુયાગદાર’નાં નામ લઈ તેમની સાખ આપવામાં આવેલી જોવાય છે, તે આગમાની સકલના વખતનાં ઉમેરણ છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy