SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ખંડ ': ૩૮૯: અનિત્ય છે, ઉત્પન્ન થતા હૈાવાથી. (૩) આ વૃક્ષ છે, લીંબડે હાવાથી. ( ૪ ) રોહિણી ઊગશે, કૃત્તિકા ઊગ્યું છે માટે. ( ૫ ) ભરણી ઊગી ગયું છે, કૃત્તિકા ઊગવાથી. ( ૬ ) અમુક ફળ રૂપવાન્ છે, રસવાન હેાવાથી; અથવા રસવાનૢ છે, રૂપવાન હેાવાથી. આમાં પહેલે હેતુ કાર્ય રૂપ છે, કેમકે ધૂમ અગ્નિતુ' કાય છે; ત્રીજો અને ત્રીજો સ્વભાવરૂપ હેતુ છે; ચેાથેા હેતુ પૂચર છે, કેમકે કૃત્તિકા રાહિણીની પૂવર્તી છે; પાંચમા ઉત્તરચર છે, કેમકે કૃત્તિકા ભરણીથી ઉત્તરવી છે; અને છઠ્ઠો સહુચર હેતુ છે, કેમકે રૂપ અને રસનુ' સાહુચય છે. આ ઉપરથી જોઇ શકાય છે કે હેતુ કેવા કેવા પ્રકારના હાઈ શકે છે. અને એ પણ જોઈ શકાય છે કે હેતુ સાધ્યની ઉપસ્થિતિના વખતે ઉપસ્થિત જ હોવા જોઇએ એવા પણ નિયમ નથી, ઊગેલી કૃત્તિકા ઊગવાવાળી ાહિણીનુ’, તેમ જ ઊગી ગયેલ ભરણીનું અનુમાન કરાવી શકે છે. મતલમ એ છે કે હેતુ અને સાધ્ય ચાહે એકસમયવર્તી હાય, ચાહે ભિન્ન સમયવતી હાય, તેમ જ એકસ્થાનવી હાય યા ભિન્નસ્થાનવર્તી હાય, ફક્ત એમનું વિશિષ્ટ સગપણુ અપેક્ષિત છે, જે નિશ્ચિત અને વ્યવસ્થિત હાવુ જોઇએ. હેતુ થવા માટે સમ સમયવતી કે સમસ્થાનવર્તી હાવાના નિયમ નથી, એક ફક્ત અવિનાભાવનું' જ તત્ત્વ એમાં અપેક્ષિત છે. ઉદિત કૃત્તિકા ઊગવાવાળી રાહિણીનુ કે ઊગી ગયેલ ભરણીનું અનુમાપક બને છે તે તે એના પરસ્પરના નિયત સમ્બન્ધને ક્રમભાવીપણાના નિયમ સમ્બન્ધને લઇને જ છે, જે અવિનાભાવસમ્બન્ધરૂપ છે. હેતુ પાતુ જેના વિરોધી હાય તેના અભાવનુ તે ( હેતુ ) અનુમાન કરાવે એ ખુલ્લુ' છે. કોઇ માણસના વિશેષ સુખવિકાર ઉપરથી એનામાં ક્રોધેાપશમ ન હેાવાનું અનુમાન થઈ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy