SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ખંડ :૩૬૧ઃ કરાય તે ધમની પવિત્રતા સચવાઈ શકે. ધર્મના મહિમાને વિસ્તારવાને એ જ સારે અને સાચા રસ્તે છે. માહ્યાડંબર ખાતર ધર્મની પવિત્રતાને જોખમમાં નાખી શકાય નહિ. નીતિથી ધન મેળવાય અને એવું [ ન્યાયપૂત ] ધન ધાર્મિક કાર્યોંમાં વાપરવામાં આવે તે તેની અસર સમાજ અને જાહેર જનતા પર બહુ સારી થાય. વળી બીજી વાત એ સૂચવવા યેાગ્ય છે કે જે બદમાશ, લૂટાશ કે ખૂનીને રાજ્ય કે સમાજના હાથ પહોંચી શકે નિહુ તેમને કર્મોના અટલ કાયદા અનુસાર તેમનાં પેાતાનાં દુષ્કમ'નાં ફળ મળવાનાં એ નક્કી છે, પરંતુ પરકૃત આપત્તિ માટે પેાતાના કવિપાકના ટેકો મળ્યાનું માની લેવા છતાંય તે સંબંધે જે આખતના ઉપાય થઈ શકે તેમ હાય તે માટે ચગ્ય સઘળા ઇલાજ રાજ્યે કે સમાજે લેવા જોઇએ, એ યાગ્ય તથા ન્યાય્ય છે. અસ્તુ. હવે મૂળ વાત પર આવીએ. ઉપર જણાવ્યુ' તેમ, સરખી પરિસ્થિતિમાં પાષાયેલાઓમાં પણ એકની બુદ્ધિ અને સ્મરણશક્તિ પ્રખર હોય છે, જ્યારે બીજાની મંદ હાય છે; તેમજ વિચાર-વતનમાં વિભિન્નતા હાય છે. સાધનસગવડ અને ઉદ્યમ સમાન છતાં એકને વિદ્યા કે કળા જલ્દી ચઢે છે, જ્યારે બીજો એમાં પાછળ રહે છે. સરખા અભ્યાસવાળા અને સરખી રિસ્થિતિમાં ઊછરેલાએમાં એકને વક્તૃત્વ, કવિત્વ કે સંગીત જેવી શક્તિ કે શક્તિએ વરે છે, ત્યારે બીજો જન્મભર તે શક્તિથી વિરહિંત રહી જાય છે, અથવા પેલાના વિકાસની સરખામણીમાં ઘણા મઢ રહી જાય છે. છ-સાત વર્ષના બાળક પેાતાની સંગીતકળાથી સહૃદય જનતાને મુગ્ધ કરી મૂકે, નાના બાળક પેતાથી કુશલ ગણિતબુદ્ધિ દાખવે, નાટક રચવા જેવું સાક્ષરત્વ Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy