SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫૪ : જૈન દર્શન કર્મનાં સ્થિતિ–રસ ઘટી જઈ શકે છે. આ ઉપરથી બોધપાઠ મળે છે કે માણસે અજ્ઞાન યા મહિને વશ થઈ બુરી રીતે વતીને પિતાનું જીવન કલુષિત બનાવ્યું હોય, પણ સમજ્યા પછી [ “જાગ્યા ત્યાંથી હવાર’ના ન્યાયે 1 એ પિતાનાં વર્તનને સુધારી સદાચરણ અને સત્કર્મા બને તે એના સચ્ચરિતના પવિત્ર ભાવેલ્લાસબળથી એનાં અગાઉનાં બુરાં કર્મોની સ્થિતિ તથા કટુતામાં ઘટાડો અવશ્ય થઈ જઈ શકે છે. પડેલે બરાબર ચડી જઇ શકે છે. ઘર નરકમાં લઈ જનારાં કર્મદલિક જેમણે બાંધેલાં એવા મહાપાપી પણ જ્યારે ફર્યા છે (જાગ્યા છે) અને અડગ આત્મબળથી કલ્યાણયાત્રા પર ચડી ગયા છે ત્યારે તેમના એ તપાછળથી તેમનાં ઘેરાતિશેર કર્મો વિધ્વસ્ત થઈ ગયાં છે અને મહાત્મા બની પરમાત્મપદને પામવા સમર્થ બન્યા છે. આત્મા પ્રમાદ-નિદ્રામાં પડેલે પણ સુતો સિંહ છે, એ જ્યારે જાગે છે–ખરેખર જાગે છે અને પિતાના આત્મવીર્યને ફેરવે છે ત્યારે ઉત્તરોત્તર પ્રખરતાને ધારણ કરતા એના મહાન આત્મબળ આગળ મહામારક મોહમાતંગ પરાસ્ત થતું જાય છે અને આખરે પૂરેપૂરો હત-પ્રહત થઈ સંપૂર્ણ નાશ પામે છે. - આ જોયું અપવર્તનાનું, તેમ ઉદ્વર્તનાનું જોઈ શકાય છે. જેમ કે, જીવે અલ્પ સ્થિતિનું અશુભ કર્મ બાંધ્યા પછી & #ા-બ્રી-ઇ-નો-ઘાતજાતવરાતિ દઢપ્રહાર' પ્રમૂનો છૂતાવજીવન . [ હેમચન્દ્ર, યોગશાસ્ત્ર, ૧-૧૨ ] અર્થાત–બ્રાહ્મણ, સ્ત્રી, લૂણ અને ગાય એ બધાની હત્યા કરી નરકને અતિથિ બનેલ “દઢપ્રહારી” અને એવા બીજા મહાપાપીઓ પણ યોગનું શરણ ગ્રહી તરી ગયા છે , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy