SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪૮ જૈન દર્શન નાશક વસ્તુઓથી બનેલે મેદક વાયુને શાન્ત કરે છે, પિત્તનાશક ચીજોથી બનેલ મોદક પિત્તને શાન્ત કરે છે અને કફ નાશક પદાર્થોથી બનેલ મેદક કફને શાન્ત કરે છે; વળી કઈ માદક ચાર દિવસ સુધી, કોઈ માદક આઠ દિવસ સુધી ખરાબ થતું નથી; વળી કોઈ ભેદકમાં મીઠાશ વધુ હોય છે અને કેઈમાં ઓછી હોય છે, તેમ જ કેઈ મોદકમાં કટુતા વધુ, તે કઈમાં ઓછી હોય છે; વળી કઈ માદક અધ-શેરને, કઈ શેરને હેય છે, અર્થાત્ જુદા જુદા મેદકેનું પૌગલિક પરિ. માણ વધતું-ઓછું હોય છે; આ પ્રમાણે કર્મોમાં પણ કેઈને સ્વભાવ, ઉપર જણાવ્યું તેમ, જ્ઞાનને, કેઈને દર્શનને આવરવાને હેય છે; તે કેઈને સુખ યા દુઃખને અનુભવવાને હોય છે; તેમ જ કર્મોની જીવની સાથે ચૂંટી રહેવાની મુદ્દત પણ અલગ અલગ હોય છે; શુભાશુભ (મધુર કે કટુ) ફળ દેવાની શક્તિરૂપ રસ પણ કોઈ કર્મમાં તીવ્ર તે કઈમાં મંદ હોય છે; [ તીવ્ર-મંદતામાં નાનાવિધ તારતમ્ય હોય છે. ] અને ભિન્ન ભિન્ન કર્મોમાં પરમાણુસમૂહ પણ ન્યૂનાધિક હોય છે. આ ચાર પ્રકારના બધેમાં પહેલે અને છેલ્લે “ગ”ને આભારી છે. કારણ કે એમના તરતમભાવ ઉપર પ્રકૃતિબન્ધ અને પ્રદેશબન્ધની તરતમતા અવલંબિત છે. મતલબ કે જીવની તરફ ખેંચાતા કર્મપગલેમાં ભિન્ન ભિન્ન પ્રકારને સ્વભાવ પડવે અને એ પુદ્ગલેની સંખ્યામાં ન્યૂનાધિકતા આવવી એ બે કામ (પહેલું પ્રકૃતિબન્ધનું અને બીજું પ્રદેશબધનું) “ગ” પર નિર્ભર છે. અને કર્મના સ્થિતિબન્ધ અને અનુભાવબન્ધ કષાય પર આશ્રિત છે, જે વિષે આગલા પૃષ્ઠમાં સ્પષ્ટીકરણ કરવામાં આવનાર છે. અનુભાવબન્ધને રસબધ પણ કહે છે. [ અનુભાવની જગ્યાએ “અનુભાગ” શબ્દ પણ પ્રચલિત છે. ] રસ તીવ્ર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy