SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ખડ જીવ કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે તે જ વખતે તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ એ ચાર બાબતેનું નિર્માણ થઈ જાય છે. કર્મ પુદ્ગલેમાં જ્ઞાન-દર્શનને આવૃત કરવાને, સુખ-દુઃખ અનુભવાવવા વગેરે જે સ્વભાવ બંધાય છે તે પ્રકૃતિબન્ધ સ્વભાવ બંધાવા સાથે જ, જીવની સાથે કર્મ પુદ્ગલેના ચૂંટી રહેવાની મુક્ત જે નિર્મિત થાય છે તે સ્થિતિબન્ધ. તે પુલમાં તીવ્રપણે યા મન્દપણું મીઠાં-માઠાં. ફળ દેનારી શક્તિઓ જે બંધાય છે તે અનુભાવબન્ધ. જીવની સાથે કાર્મિક પુદ્ગલસ્કન્ધ બંધાવા તે પ્રદેશબબ્ધ. કાર્મિક પુદ્ગલસમૂહ જીવથી ગ્રહણ કરાતાંની સાથે જ ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણામ પામતે સ્વભાવદીઠ અમુક અમુક પરિમાણમાં વહેચાઈ જાય છે. આ બાબતમાં, અર્થાત્ આ ચાર પ્રકારના બધેને સમજાવવા માટે મોદકનું દષ્ટાંત આપવામાં આવે છે. જેમ, વાયુપાજિત કર્મો વર્તતાં હોય છે અને તે ક નાનાવિધ અધ્યવસાયેથી બાંધેલાં હોઈ નરકાદિ અનેક ગતિઓનાં કારણ હોય છે તેથી તે બધાં કર્મો જે વિપાકયથી જ ખેરવવાનાં હોય તો એ એક અંતિમ ભાવમાં નાનાવિધ ભવને અનુભવ કરવો પડશે. પણ તે તે અસંભવ છે. કેમ કે એક મનુષ્ય ભવમાં નારક આદિ અનેક અન્ય ભવોને અનુભવ થઈ શકે નહિ. હવે જો તે નાના ગતિઓનું કારણભૂત કર્મ નાના ભમાં જઈને ક્રમે ક્રમે વિપાકરૂપે અનુભવવા લાગે તે ફરી વળી નાના ગતિઓના કારણભૂત કર્મ બંધાવાનાં અને ફરી પાછું નાના ભામાં બ્રમણ થવાનું અને ફરી વળી નાના ગતિઓનાં કારણભૂત કર્મ બંધાવાનાં એમ કર્મબન્ધ અને ભવભ્રમણની પર પરા ચાલ્યા જ કરશે, એતે અંત જ નહિ આવે. આમ મેક્ષ વસ્તુ અશક્ય જ બની જશે. . (જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૦૫ર, ૨૦૧૩ની વૃત્તિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy