SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૪૪ : જૈન દર્શન માનસિક ક્રિયા પણ હાય છે, એટલે કોઈ પણ પ્રવૃત્તિ કે ક્રિયાના ચેાગે એને કમ બધાવાનાં. પણ જે વિવેકબુદ્ધિપુરસ્કર સદાચરણના ઉજ્જવલ માર્ગ પર ચાલે છે તેને ક્રિયાસુલભ કર્મઅન્યથી ડરવાનું. ડાય જ નહિ. કેમકે એની એવી વિકાસગામી જીવનચર્યાં દરમ્યાન જે કમ બંધાવાનાં તે કટુફલદાયક હાવાનાં જ નહુિ શુભ જીવનચર્યા દરમ્યાન અધિકાંશ સત્કર્માના (પુણ્ય કર્મના ) જ સંભાર ભરાવાના, અને સાથે જ ઉચ્ચ નિજ રારૂપ પુણ્ય પણ સધાતુ જવાનું. જીવનની આ પ્રક્રિયા સુખદાયક અને સાથે જ આત્મકલ્યાણુસાધનમાં ઉપકારક બને છે. માણસનુ કામ છે પેાતાની બુદ્ધિને શુદ્ધ રાખવી અને સત્ક પરાયણ રહી આત્મકલ્યાણના સમાગથી ચલિત ન થવુ. એટલુ એ ધ્યાનમાં રાખે એટલે ખસ. એમાં તમામ દુઃખો અને તજનક કર્માંનાં ઔષધ સમગ્રપણે સમાયેલાં છે. · 66 જેમ હવાથી ધૂલિરજ ઊડીઊડી કોઈ સ્થાને પડે અને ત્યાં ચીકણી ચિકાસવાળી ચીજ હોય તે તે ચાંટી જાય, તેમ જીવની મનાવાટ્કાયપ્રવૃત્તિરૂપ ચેાગ’રૂપી હવાથી કાર્મિક પુદ્ગલે જીવ પર પડે છે અને કષાયના ચેાગે એની સાથે ચાંટી જાય છેબંધાઈ જાય છે. કષાયના નાશ થઈ ગયા હોય તે યે યાગ ’ જ્યાં સુધી રહે ત્યાં સુધી કમ પુદ્ગલા ( યાગથી ખેંચાઈ) જીવને લાગે ખરાં, પણ ટકે નહિ, જીવને અડીને તરત જ ખરી પડે. જીવ અમૃત છે, તે એની સાથે સૂતક પુદ્ગલે શી રીતે બધાય ? એવેા પ્રશ્ન થવા સ્વાભાવિક છે. પણ જીવ સ્વરૂપે ( પેાતાના મૂળ સ્વરૂપમાં) અમૃત હેાવા છતાં હમેશાંથી ( અનાદિકાળથી ) એક પ્રકારની વાસના [ રાગદ્વેષમહુવાસના ], જે એના વાસ્તવિક શુદ્ધરૂપ સાથે સર્વથા અસંગત છે, તે Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy