SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૪૨ : જૈન દર્શન શીધ્ર સપાટામાં ભેળવી લેવું તે આયુષ્યનું અપવર્તન છે. આમ અપવર્તન પામનારું આયુષ્ય અપવર્તનીય કહેવાય છે. આ અપવનાનું જ બીજું નામ “અકાલ મૃત્યુ” છે અને જે આયુષ્ય કેઈ નિમિત્તના આક્રમણથી ન સંકેલાતાં પિતાની નિયત કાલમર્યાદા સુધી ભેગવાય તે અનાવર્તનીય કહેવાય છે. | જીવ શાશ્વત સનાતન નિત્ય તત્વ છે. તેને નથી જન્મ [ ઉત્પત્તિ ] કે નથી નાશ. એમ છતાં [ સકર્મક હાલતમાં ] તેનું કોઈ પણ નિમાં સ્કૂલ શરીરને ધારણ કરી પ્રકટ થવું તેને આપણે “જન્મ કહીએ છીએ અને સ્કૂલ શરીરને વિયેગ તેને “મૃત્યુ” ગણીએ છીએ. અકાળ મૃત્યુ દ્વારા આયુષ્યકાળના નિયતકાળમાં, ઉપર કહ્યું તેમ, કમી તે આવી જાય છે એ ખરું, પરંતુ કઈ પ્રકારના પ્રયત્નથી પણ નિયત આયુષ્યકાળમાં વૃદ્ધિ થતી નથી. મેહનીય કર્મના નેતૃત્વ નીચે ચાલુ ભવમાં જ આવતા (હવે પછીના) ભવને આયુષ્યબંધ પડી જાય છે. એટલે જ્યાં સુધી મેહનીય કર્મની અસર ચાલુ રહેતી હોય છે ત્યાં સુધી આ પ્રકારની ભવભવની સાંકળ લંબાયે જાય છે અને ભવભ્રમણ ચાલુ રહે છે. [૧૨]. જેનદર્શનમાં “કમ” એ ક્રિયા-પ્રવૃત્તિને સંસ્કારમાત્ર નથી, કિંતુ કર્મ એક વસ્તુ છે-દ્રવ્યભૂત વસ્તુ છે. અગાઉ વારંવાર કહેવાઈ ગયું છે તેમ, જીવની ક્રિયા-પ્રવૃત્તિ માનસિક, વાચિક, કાયિક. જેને “ગ” કહેવામાં આવે છે તેનાથી કર્મનાં પુદ્ગલે આતમા તરફ ખેંચાય છે–આત્માને સ્પર્શે છે-લાગે છે *સમગ્ર સંસાર (સમગ્ર કાકાશ) તરહ તરહની પુદ્ગલવણાઓથી. ઠસોઠસ ભરપૂર છે. એ વર્ગણુઓ પૈકી એક “ કર્મ ના પ્રકારની વર્ગણા છે, એ વર્ગણાનાં-જથ્થાનાં પુદ્ગલે જીવ સાથે બંધાય છે. ત્યારે તે “કર્મ” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy