SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૪૦ : જૈન દર્શન કર્મપ્રકૃતિઓને પ્રદેશ બન્ધ ગદ્વારા સંભવે છે તે જ સમયે કષાય દ્વારા તેટલી કર્મપ્રકૃતિનો અનુભાવબન્ધ પણ સંભવે છે. તેથી મુખ્યપણે થનાર અનુભાવબન્ધની અપેક્ષાએ પ્રસ્તુત આસવવિભાગનું સમર્થન શક્ય લાગે છે. શુભાશુભકર્મબન્ધોના માર્ગો જે સદાચરણે-દુરાચરણે છે તેમનાં નામ લઈને કર્મપ્રકૃતિએને બન્ધ બતાવવાથી જીને સ્પષ્ટ સમજ પડે અને સદાચરણેને ગ્રહણ કરવાને તથા દુરાચરણેને ત્યાગવાને તેમને ભાવ જાગે એ હેતુ આસનવિભાગના વિવેચનની પાછળ હોય એ ખુલ્લું છે. [૧૧] (આયુષ્ય વિષે) આયુષ્ય કર્મના ચાર પ્રકાર અગાઉ બતાવ્યા છે. મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, દેવનું આવુષ્ય અને નારકનું આયુષ્ય. જેવી રીતે ઘડીઆળને ચાવી આપી દીધા પછી તેમાં જે વચમાં કઈ પ્રકારનું વિઘ આવી ન પડે તે તે નિયત સમય સુધી ચાલીને પછી પિતાની મેળે બંધ પડી જાય છે, તેવી રીતે, આયુષ્ય કર્મ દ્વારા આ જીવને મનુષ્ય, તિર્યંચ આદિ ભમાં સ્થૂળ શરીર સાથે સંબંધ, વચમાં કઈ પણ વિધ ઉપસ્થિત થવા ન પામે તે નિયત કાળ સુધી જારી રહે છે, અને કાળમર્યાદા પૂરી થતાં જીવ એ શરીરમાં પળવાર પણ રહેતું નથી. જ્યારે આ શરીરરૂપ ઘડીઆળ વિષ, ભય, શસ્ત્રાઘાત, સંકલેશ–વેદના વગેરેના કારણે નિયત કાળ પહેલાં પણ બગડી જાય છે ત્યારે તેવા આઘાતપ્રહારનું મૃત્યુરૂપ પરિણામ “અકાળ મરણ” તરીકે ઓળખાય છે. ક્રમે ક્રમે બળતી લાંબી રસ્સીને બળી જતાં વાર લાગે પણ એ જ રસ્સીને વાળી કેકડુ કરી તેના પર અગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy