SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ખંડ : ૩૨૯ : ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવ પિતાની ક્રિયાથી કર્મ બાંધે છે અને પિતાની ક્રિયાથી તેડી પણ શકે છે. પૂર્વક બધાંયે અભેદ્ય નથી હોતાં ઘણુંઘણું કર્મ એગ્ય પ્રયત્નબળથી ભેદી શકાય તેવાં હોય છે. અરે ! શાસ્ત્ર તે ત્યાં સુધી કહે છે કે “નિકાચિત” કર્મ પણ ભેદાઈજઈ શકે છે, પણ તે પાવિત્ર્યપૂર્ણ અતિ ઉત્કટ આત્મસાધનાથી. કહેવાનો મતલબ એ છે કે કર્મના ભરોસે અકર્મણ્ય બનવું ગ્ય નથી. હા, એગ્ય પ્રયત્ન પ્રવાહ પણ જ્યારે સફલતાને ન વરે અથવા પ્રયત્ન કરવાની ગ્ય ભૂમિકા જ ન સાંપડે ત્યારે તે હાલતમાં કર્મને અભેદ્ય પ્રકારનું અથવા તેને પહોંચી વળવું અશક્ય કે દુર્ઘટ સમજી શકાય, અને એમ સમજી ચિત્તને પ્રશાન્ત સ્થિતિમાં રાખવા જેટલું ધૈર્ય ધારણ કરી અનુકૂલ કે પ્રતિકૂલ પરિસ્થિતિને સહન કરી લેવી જોઈએ. પિતાના કૃત્યનું શું પરિણામ પતાના શરીર કે મન ઉપર અથવા ઈતર જન ઉપર આવશે એને વિચાર કર્યા વગર એટલે કે પરીક્ષિત કે સંભાવ્ય કાર્યકારણુભાવસમ્બન્ધને અવગણીને અંધશ્રદ્ધા, ગતાનુગતિકતા, દેખાદેખી કે અજ્ઞાનતા અથવા લેભલાલચથી કરેલ પ્રવૃત્તિનું ઇચ્છિત પરિણામ ન આવે અથવા કંઈ “નિકાચિત ” ( અભેદ્ય) ગણતું કર્મ કઈ રીતે તૂટી શકે છે તે બાબતમાં ઉપાધ્યાય યશોવિજયજી પોતાની ર૭મી વિંશિકામાં નીચેના શ્લેકથી જણાવે છે – निकाचितानामपि यः कर्मणां तपसा क्षयः । * સોsfમ9ત્યોત્તમ યોગમપૂર્વરા ૨૪. " અર્થાત-નિકાચિત” કર્મને પણ ક્ષય તપથી થવાનું છે. જણાવવામાં આવ્યું છે તે ઉચ્ચ શ્રેણી–ભૂમિના વેગને અનુલક્ષીને છે. બાહ્ય તપને કે એવા જે તે તપને અંગે એ સમજવાનું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy