SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ * ૩૧૩ : બનાવવું કે ઝેર બનાવવું એ પિતાની દૃષ્ટિકળા પર અવલંબિત છે. ઝેર માણસના વિકૃત મનમાં છે અને એથી એ પિતાની આસપાસ ઝેર અનુભવે છે અને પાથરે છે. મધુર અને પ્રસન્ન મન (વિચારદષ્ટિ) સર્વત્ર અમૃતરસ પાથરે છે અને અનુભવે છે. આત્માના કલ્યાણરૂપ ઉન્નતિમાર્ગમાં પગલે પગલે આનંદ અને રસની ભરપૂરતા છે. ઊર્ધ્વગામી આત્મા પિતાના ઉન્નત વિહારમાં એ રસ તથા આનંદની અનુભૂતિ કરતાં કરતાં પરમપદની સ્થિતિએ પહોંચે છે. રસના રાગમાં બંધાઈ જવું એ પામરતા છે; પણ જે રસને સ્વામી બની નિર્બન્યપણે રસેપતા છે અને જેને ભૌતિક રસ કરતાં ઘણા જ ઉચ્ચ પ્રકારના આનંદરૂપ રસને– જે આત્મવિકાસના સન્માર્ગમાં ઉપલભ્ય છે તે રસને શેખ લાગે છે તે સાચે મર્દ, સાચે વીર માનવ દુન્યવી ધરતીથી ઘણે ઊંચે ચડેલ છે, એ પિતાના સાચા સાત્વિક સમુન્નત વૈરાગ્ય રસમાં અનુપમ આનંદ ભેગવે છે અને દુનિયાના માણસને શુભ પ્રકાશરૂપ બની રહે છે. ' ઉપરના વિવેચનથી જોઈ શકાય છે કે વૈરાગ્ય કે વૈરાગ્યને ઉપદેશ માણસને એદી, આળસુ, નિષ્ક્રિય બનાવતું નથી કે નિષ્ક્રિય બનવાનું કહેતા નથી; એ એને અહિંસા-સત્યના પાઠ શીખવે છે, એ પ્રકારના શિક્ષણ દ્વારા એને પ્રામાણિક, સત્યવાદી, પોપકારશીલ તથા સેવાભાવી બનાવે છે પરોપકાર કે સેવાભાવ કેવળ વાણીને જ (વાણ પૂરતે જ) બસ નથી; સંતસાધુજન પણ પિતાના શરીરથી પણ એને (પરંપકાર કે સેવાનો) લહાવે લેવા ઉદાત રહે છે. સાચી દષ્ટિ ખુલતાં મહાભાગને સમજાય છે કે બધા જ એક છે, અર્થાત્ એકરૂપ છે. આ “g iાયા” (ઠાણુગ, સૂત્ર બીજું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy