SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શોન :૨૯૮: એ પ્રકારની શ્રદ્ધા ધરાવી શકે છે. અને જે કોઈ તે શ્રદ્ધાને અમલમાં મૂકી સભ્યચારિત્રદ્વારા રાગભાવ, કષાયભાવથી મુક્ત થાય તે મેાક્ષ મેળવી શકે છે. આત્મા બાબતની ફિલસૂફી પણ ગહન છે. તે વિષયના તત્ત્વજ્ઞાન વગરના માણસ પણ સત્ય, અહિંસાના સન્માની નિષ્ઠાના ચેાગે સમ્યક્ત્વના ધારક બની શકે છે. વાસ્તવમાં સત્ય, અહિંસાના સન્માની શ્રદ્ધા એ આત્મતત્ત્વની શ્રદ્ધા છે. અથવા આત્મતત્ત્વની યથાસ્થિત શ્રદ્ધા સાથે નિકટતમ સગપણ ધરાવતી શ્રદ્ધા છે, જે શ્રદ્ધામાં સાત કે નવ તત્ત્વાની શ્રદ્ધાના સાર આવી જાય છે. · 97 પ્રત્યેક પ્રાણી દુ:ખથી છેટા થવા, રહેવા મથે છે અને સુખી થવા ઝંખે છે. “હુ સુખી બનુ આ ભાવના સમગ્રપ્રાણિવ્યાપક છે. આ ભાવનામાં સંવેદાતુ' ‘હું ” તત્ત્વ કટ્ટર નાસ્તિકોને પણ માન્ય છે. શાસ્ત્રોમાં આત્મા અને શરીરના પૃથક્ અનુભવ કરવાતું લખ્યું છે, તેના અથ છે સ્વ-પરભેદવિજ્ઞાન. આ સ્વ-પરભેદવિજ્ઞાન સમજદાર નાસ્તિકા પણ ધરાવતા હાય છે, અને તે આ રીતે : ‘હું ’ તત્ત્વને ( ‘હું” થી જે કોઈ તત્ત્વ સવેદાતું ઢાય તે તત્ત્વને ) તેએ ‘સ્વ” લેખે છે અને શરીર તથા અન્ય બાહ્ય પદાર્થાને ‘ પર ’ લેખે છે. આમ આ ‘હું” તત્ત્વને મુખ્ય આધારરૂપે સ્થાપિત કરી સ્વવિદિત સુખ-દુઃખની ઈષ્ટાનિષ્ટ લાગણીઓના અનુભવના અજવાળામાં ખીજા પ્રાણી. એનાં સુખ-દુઃખ સમજી બીજાને સુખ-સતેષ આપવામાં કર્તવ્યપાલન સમજે છે અને બીજા પ્રત્યે અનીતિ-અન્યાયથી વવાને અપકૃત્ય સમજે છે. આ નૈતિક માગ સ્વ- પરને Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy