SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ * ૨૮૯ : બનાવવાનું છે, બીજે કઈ (ઈશ્વર પણ) બનાવી કે સાધી આપે તેમ નથી. ભગવાન જે “ પ્રસન્ન થતું હોય તે કેવળ આપણું સારાં ગુણ-કર્મો ઉપર જ પ્રસન્ન થાય, આપણું સચ્ચરિત્રતા યા સદાચરણશીલતા પર જ પ્રસન્ન થાય. આ સિવાય એને પ્રસન્ન કરવાને બીજે કઈ જ માર્ગ નથી–નાગ: વન્યા વિદ્યારે શિવાઇ. જેમ સૂર્ય પ્રકાશે છે, પણ એને પ્રકાશ લેવો કે ન લે એ માણસની મરજીની વાત છે, પણ લેનારને ફાયદો થાય છે અને ન લેનારનું સ્વાથ્ય બગડી જાષ છે, તેમ સંત કે મહાન આત્માના સદુપદેશને પ્રકાશ જે લેશે તેનું કલ્યાણ થશે, તે તરી જશે, અને નહિ લેનાર અંધકારમાં રવડશે. પરમાત્મા કે ભગવાન દેખાતે તે છે જ નહિ, એનું સ્વરૂપ પિતાના સ્વચ્છ અન્તઃકરણમાં યથાર્થરૂપે કલ્પીને એન-માનસિકસાન્નિધ્યમાં આવવાથી માણસની દષ્ટિનું ધન થાય છે, એને પ્રેરણા અને બળ મળે છે, અને એ સાન્નિધ્યને લાભ જેમ જેમ વધુ લેવા જાય છે તેમ તેમ ચિત્તને ભાવ, ઉદવાસ તથા શુદ્ધીકરણ વધતાં જાય છે. આ કમે એનું મહાવરણ હઠતું જાય છે, વાસના ખરતી જાય છે અને એને આત્મા સત્વ સમ્પન્ન (વધુ ને વધુ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી સમ્પન્ન) બનતું જાય છે. આ પ્રમાણે મહાન પદ ઉપર આરૂઢ થઈ આત્મા મહાત્માની ભૂમિકામાંથી આગળ વધી પરમાત્મપદની ભૂમિકામાં પ્રવિષ્ટ થાય છે. બસ ભગવદ્ભક્તિ આ પ્રકારે વિકાસપથ પર ચડવામાં અને આગળ વધવામાં ઉપયોગી થાય છે. આમ ભગવાન વિષેનું અને આત્મકલ્યાણ સાધવાનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન, અને ભગવાનનું શરણ સ્વીકારી ભગવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy