SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન :૨૮૮: શરણુ હોય, અને ભગવત્સ્યરણથી સત્ત્વસ શુદ્ધ તથા પ્રસાદપૂ બનતું જતું હોય તે, એનુ' સધાતુ એ ઔજવલ્ય કે નૈલ્ય એ જ એને મળતા યા મળેલા-કાઇને અણુદીધેલસ્વખલેોપાર્જિત સહજ પુરસ્કાર છે. ભગવસ્મરણુ સાધારણ નિમિત્ત નથી, પણ સખલ સાધન છે. એ પરમશુભ્ર, પરમદીપ્ર, પરમેાવલ . પરમતત્વના એકાગ્ર ધ્યાનનું પવ થતું જતું બળ ધ્યાતાના હૃદયના કબાટ ખોલી દે છે અને એના પર એવી પ્રતિક્રિયા કરે છે કે એની મેહવાસના પર જબ્બર ફટકા પડે છે અને એ ધ્યેયતત્ત્વની શુદ્ધતાની શનીની આભા એના ( ધ્યાતા ) પર પથરાવા માંડે છે. શુદ્ધ અને ઊંચા વિષયની ભાવના મન પર શુદ્ધ અને ઊંચી છાયા પાથરે છે અને અશુદ્ધ તથા નિકૃષ્ટ વિષયની ભાવના મન પર અશુદ્ધ તથા નિકૃષ્ટ છાયા પાથરે છે. ધ્યાનનેા વિષય જેવા ડાય તેવી અસર મન પર થાય છે. વીતરાગ પરમાત્માનું ચિંતન, સ્મરણ, 'ઉપાસન | એ પ્રકારના પરમાત્માને માનસિક સત્સંગ ] મનના મેહરૂપ કાલુષ્યને પખાળવામાં ખૂબ કારગર થાય છે. આમ ભગવદ્ ઉપાસનાથી ચિત્તશુદ્ધિના કે માનસિક વિકાસ યા પ્રસન્નતાને જે લાભ મેળવાય છે તે ભગવાને આપેલા કહી શકાય, પણ તે ઉપચારથી. ભગવાનના હાથમાં સીધી રીતે પ્રકાશ આપી દેવાનુ હાત તા તે કોઈના અંતઃકરણમાં અધકાર રહેવા દેત નહિ; અધમબુદ્ધિના અને દુરાચરણી બધાને સમુદ્ધિવાળા અને સદાચરણી બનાવી દેત; પ્રત્યેક પ્રાણીને એની નીચી ભૂમિકા ઉપરથી ઊઠાવી ઊંચી ભૂમિકા પર ચડાવી દેત; સમગ્ર જગત્તના આત્માએને પૂર્ણ પ્રકાશ અને આનન્દી બનાવી દેત. પણ એ તે માણસે ( પ્રાણીએ ) પાતે પેાતાના બળથી સાધવાનુ છે—પાત્તાનુ પાતે જ પોતાના જ પ્રયત્નથી પોતાના જ પુરુષાથ થી Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy