SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ : ૨૮૫: નથી પઢાવતા, પણ કર્તવ્યપરાયણ બનવાની શિક્ષા આપે છે, એટલું જ નહિ, પણ સાચા કર્મય બનવા માટે ખરો મસાલે” એ પૂરો પાડે છે. કર્મવાદના સિદ્ધાન્તમાં સત્કર્મો દ્વારા સુભાગ, મહાભાગ બનવાને ધ્વનિ છે, અને ઈશ્વરવાદના સિદ્ધાંતમાં સચ્ચરિત બનવા માટે પરમાત્માના અવલંબનને વનિ છે, અથવા સચ્ચરિત દ્વારા ભગવત્પ્રાપ્તિને ઇવનિ છે. જીવનની ગ્લાની દૂર કરવામાં, આત્માને ધીરજ બંધાવવામાં, તેમ જ સંતેષ તથા શાંતિ બક્ષવામાં અને સદાચરણની પ્રેરણા અર્પવામાં એ બન્ને સિદ્ધાંતે સારું સામર્થ્ય ધરાવે છે. કર્મ(ભાગ્ય)પણ માણસ(પ્રાણ)ના પિતાના પ્રયત્નથી ઉત્પન્ન થનારી વસ્તુ છે સારા કામથી માણસ પોતાનું સારું અને બુરા કામથી પોતાનું બુરુ કર્મ(ભાગ્ય)સજે છે. એટલે ભાગ્ય(કર્મ)ને ઘડીને તેનાં શુભાશુભ પરિણામ (કડવા—મીઠાં ફળ) મેળવવાં એ માણસના પિતાના હાથની વાત છે.-Man is the architect of his fortune–માટે જ, સુખ યા અસ્પૃદયને અથી સજજન ઉત્સાહથી સદાચરણપરાયણ બને છે. સદ્ભાગ્યથી મળેલ સમ્પત્તિમાં માણસ જે બહેકી જાય, ઘમંડી બની મત્ત-પ્રમત્ત-ઉન્મત્ત બને તે ભવિષ્યને માટે એ બુરાં કર્મ બાંધે અને એને વર્તમાન સુખપગ એના વર્તમાન કર્મોદયની અવધિ સુધી જ સીમિત રહે. માટે કર્મવાદ સાથે એ સુબોધ પણ વણાયેલ છે કે શુભ કર્મનાં સારાં ફળ પણ સમતાથી ભેગવવાનાં, જેમ દુઃખ સમતાથી ભેગવવાનું છે તેમ. ઉપર જણાવ્યું તેમ ભાગ્ય(કર્મવાદ પણ માણસને સદાચરણ તરફ પ્રેરનારો વાદ છે, અને સદાચરણની ભાવના ઈશ્વરને (પરમાત્માને) આશ્રય લેવાથી શું ઈશ્વરનિષ્ઠાથી વિકસે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy