SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ :૨૮૦: જૈન દર્શન જે મનુષ્ય મુખ્યત્વે શાસ્ત્રાભ્યાસ કરી તથા પઠન-પાનથી લેાકેામાં જ્ઞાનસંસ્કાર રેડવાના વ્યવસાય કરવા લાગ્યા તેમને બ્રાહ્મણુ કહેવામાં આવ્યા. જેએ મુખ્યત્વે પેાતાના જીવનની પણ પરવા રાખ્યા વિના આતતાયીએ કે દુષ્ટ હુમલાખોરોથી પ્રજાનું રક્ષણ કરવાનેા તથા સમાજના અંગેની દુષ્પ્રવૃત્તિએ રોકી સમાજને સ્વસ્થ રાખવાના વ્યવસાય લઈ બેઠા તે ક્ષત્રિય કહેવાયા. જે લેકે મુખ્યત્વે ખેતી તથા અન્ય વ્યાપાર કરીને સમાજની જરૂરીઆતની ચીજો પૂરી પાડવાના વ્યવસાય લઈ બેઠા તેઓ વૈશ્ય કહેવાયા. અને જે લેાકેા મુખ્યત્વે શારીરિક શ્રમ કરી સમાજની અન્ય પ્રકારે સેવા કરવામાં શકાયા તે શૂદ્ર કહેવાયા. આ ઉપરથી જણાશે કે આ ચારે પ્રકારની પ્રવૃત્તિઓ સમાજનાં સુખસગવડ તથા સામાજિક વિકાસ માટે જરૂરી છે. આમાંની એક પણ પ્રવૃત્તિના અભાવે સમાજ ટકી શકે નહિ અને પેાતાના વિકાસ રે ઉન્નતિ સાધી શકે નહિ. અતઃ અમુક માસ અમુક એક વ્યવસાય કરે છે માટે તે ઊંચા અને અમુક માણસ અમુક બીજો વ્યવસાય કરે છે માટે તે નીચેા એમ સમજવાનું નથી. કેવળ વ્યવસાયભેદ ઉપર નજર રાખી ઊંચ-નીચનું ધેારણું ઠરાવવાનું નથી, કિન્તુ તે માટે તે શ્રીજી બાબત ધ્યાનમાં લેવાની છે. માણસ ગમે તે હાય અને ગમે તે વ્યવસાય કરતા હોય, પણ તે ગુણથી ઉચ્ચ ( સચ્ચતિ ) હાવા જોઇએ, એટલુ જ નહિ, પણ તે પેાતાના કમથી પણ ઉચ્ચ હાવા જોઇએ. કમથી ઉચ્ચ એટલે પાતપેાતાના વિશિષ્ટ વ્યવસાય પ્રામાણિકપણે ધમ બુદ્ધિથી દિલચારી કર્યાં વગર યગ્ય રીતે કરનાર. આ પ્રમાણે માથુસ ગુણથી તેમ જ કમથી ઉચ્ચ હાય તા તે ઉચ્ચ છે, બ્રાહ્મણના વ્યવસાય Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy