SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭૬ : જૈન દર્શન પાત્રને નિમિત્ત મ હોત તે પાત્ર બનત. આમ કારણ કાર્ય સંબંધનું બળ નિશ્ચિત છે. જેવી જેવી અવિકલ કારણ સામગ્રી ઉપસ્થિત થાય છે તેવું કાર્ય યા પરિણામ બને છે. મનુષ્યપ્રયત્નના યોગે કાર્ય બને છે અને કુદરતી કારણસંગે કાર્ય બને છે. દ્રવ્યનાં પરિણમન ઉપસ્થિત પરિસ્થિતિ યા નિમિત્તના અનુસાર થાય છે. પુગલ પરમાણુઓ ઘટ બની શકે છે, પણ પાધરે નહિ. તેમને જ્યારે અનુકૂલ સામગ્રી મળે છે ત્યારે તે સ્કન્ધ બની માટીના પિંડમાં ફેરવાઈ જાય છે અને પછી એ પિંડને ઘટમાં ફેરવનારું સાધન મળે છે ત્યારે તે (પિંડ) ઘટ બને છે. પુદ્ગલમાં જે પગલિક પરિણામની યોગ્યતા પ્રગટ હોય તે તદનુકુલ નિમિત્તના વેગે પ્રગટે. રેતીમાં કાચ બનવાની, કેયલામાં હીરો બનવાની યોગ્યતા (નિકટ એગ્યતા) હોઈ પ્રયત્નોગે તેમાંથી તે થાય. અશુચિરૂપ ખાતરને નિમિત્તયેગ મળે છે ત્યારે તે કેવું રૂપ ધારણ કરે છે ! પ્રગવિશેષથી વિષ અમૃત બને છે અને અમૃત વિષ. આમ અનેકાનેક પરિણામોમાં ફેરવવાની યોગ્યતા દ્રવ્યમાં હોવા છતાં જેવું નિમિત્ત મળે છે તેને અનુસરતા પરિણામમાં તે (દ્રવ્ય) ફેરવાય છે. મૂખ છેકરા પર સુગ્ય પરિશ્રમ કરવાથી તેની બુદ્ધિ અને જ્ઞાન વિકાસ પામી શકે છે. વિષમાં અમૃતત્વ અને અમૃતમાં વિષ––ોગ્યતારૂપે—હતું જ, મૂર્ખ છોકરાની અંદર ગુપ્તપણે જ્ઞાન હતું જ, જે કારણસમવધાનથી બહાર આવ્યું. આમ દ્રવ્યમાં-ઉપાદાનમાં જે હોય-જે પ્રકટનિયપર્યાયેગ્યતા હોય તે નિમિત્તગે બહાર આવે અને ન હોય તે બહાર ન આવે. રેતી પદ્ગલ છે અને તેલ પુદગલ છે, પણ રેતીમાંથી તેલ ન નીકળે. જેમા જે પર્યાયની પ્રકટ કે નિકટ એગ્યતા નથી તેમાંથી તે પર્યાય ન ઉદ્ભવે. રેતીના પરમાણ જ્યારે વિશિષ્ટ પ્રકારના સ્કન્ધ બને ત્યારે તેમાંથી તેલ નીકળી ન હોય તે જગ્યતા હવામાં કમાઉ જ એક જ છે, પણ હાર ન આવ નિમિત્તાનમાં જે હજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy