SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ : ૨૫ : ભાગ ભજવે છે. માટે એ બધાંય સમવાયી કારણેાને એમના સ્થાન પ્રમાણે સ્વીકારવામાં જX ન્યાયસિદ્ધતા છે. આચાય સિદ્ધસેન સન્મતિમાં કહે છે— कालो सहाब नियई पुव्वकयं पुरिस कारणेगंता । मिच्छत्त ते चेव य समासओ होन्ति सम्मत्तं ।। ३-५३ ।। અર્થાત્~કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્ણાંકમ', ઉદ્યમ એ પૈકી કોઇ એકનો એકાન્ત પક્ષપાત કરવામાં મિથ્યાત્વ છે અને એ પાંચને ચગ્ય રીતે સ્વીકારવામાં સમ્યક્ત્વ છે. પ્રસ્તુત વિષયમાં થોડું વધુ ચિંતન કરીએ. સમગ્ર દ્રવ્યેની પોતાની મૂળ શક્તિએ નિયત છે. જડ દ્રવ્ય ચેતનરૂપે અને ચેતન દ્રવ્ય જડરૂપે પરિણમતુ નથી, પુ"લમાં પુદ્ગલ સંબધી પિરણામ અને જીવમાં જીવ સબધી પિરણામ યથાસમય થઇ શકે છે, દ્રષ્ય માત્રની ભિન્ન-ભિન્ન પરિણામધારા પ્રતિસમય અવિચ્છિન્ન પ્રવતી રહે છે, અર્થાત પ્રત્યેક દ્રવ્ય ભિન્ન-ભિન્ન પર્યાયમાં પ્રતિસમય પરિણમતું રહે છે. પરંતુ દ્રવ્યમાં અમુક વખતે અમુક જ પરિણમન-અમુક જ પર્યાય થશે એ નિયત નથી. માટીના પિંડમાં ઘડા, કુંડુ, ગાગર વગેરે અનેક પર્યાયાને પ્રગટાવવાની યાગ્યતા છે, પણ એમાંથી જેને માટે નિમિત્તયેગ મળે તેના ઉદ્ભવ થાય. જે વખતે માટીના પિંડમાંથી ઘટ થયે તે વખતે એમ ન કહેવાય કે એ પિંડમાંથી ઘટ થવાનું જ નિયત હતુ. જેમ ઘટના નિમિત્તયેાગે ઘટ થયા, તેમ ગાગરના નિમિત્તયાગ સાંપડ્યો હાત તે ગાગર થાત. જે × આ વિષેનું નિરૂપણ પ’ચમ ખ’ડમાં ‘સ્યાદ્વાદ" પ્રકરજીના અંતમાં વાયક જોશે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy