SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૪૪ જૈન દર્શન આ (ઘટત્પત્તિના) કાર્યમાં કર્તા કુંભાર છે. કેમકે તે સ્વાધીનપણે [ Voluntarily ] કારણેનું અવલંબન લઈ પિતાની જ્ઞાનેન્દ્રિ, કર્મેન્દ્રિયે અને મનના ગવડે [ એ ઇન્દ્રિ તથા મનરૂપ સ્વયંપ્રાપ્ત કરણની સહાયતાથી] કિયા કરી કાર્ય નિપજાવે છે. કાર્યને નિપજાવવામાં કુંભારને કારણે ( બાહ્ય સાધને) લેવાં પડે છે. કેમકે “કારણ વિના કાર્ય નહિ.” જ્યારે આપણે કેઈ કાર્ય જોઈએ છીએ ત્યારે તે શી રીતે બનવા પામ્યું તેની તપાસ કરવા અને તે સમજવા આકાંક્ષા થાય છે અને જ્યારે આપણું મર્યાદિત અનુભવ પ્રમાણે કાર્યનું કારણ જડી શકતું નથી ત્યારે આપણે તેને ચમત્કાર કહી સન્તોષ માનીએ છીએ, અથવા તે કોઈ અદષ્ટ કારણ જણાવી મનને મનાવી લઈએ છીએ. તે અદષ્ટ શું અને તે કેવી રીતે કામ કરે છે તેને તે આપણને ખ્યાલ હોતું નથી. અને તે સંબંધમાં ઊંડી તપાસ માટે આપણે અસમર્થ હોઈ ચુપકી પકડી જઈએ છીએ. આ પ્રસંગે એમ કહેવું પડશે કે હાલના વિજ્ઞાને ચમત્કાર તરીકે ગણાતા ઘણું બનાવેને, શેધ કરીને કારણે સાથે યુક્તિ યુક્ત રીતે સમજાવવામાં સફલતા મેળવી છે. અને જેમ જેમ વિજ્ઞાન આગળ વધશે તેમ તેમ હજુ પણ ચમત્કાર તરીકે ગણતા બનાના વિશેષ ખુલાસા પ્રાપ્ત થવા સંભવ છે. પરન્તુ માણસને કઈ બનાવનાં કારણેની શોધમાં કંઈ સન્તોષકારક ખુલાસે જ્યારે મળતું નથી ત્યારે તે તેને ચમત્કાર ગણી કેઈ સાધુપુરુષની કહેવાતી સિદ્ધિ સાથે અથવા કોઈ મૂર્તિની અદૂભુતતા સાથે જોડી દેવાને લલચાય છે. આમાં ઘણે અંશે વહેમનું જ પ્રાધાન્ય હોય છે, અને એવા નાનાવિધ વહેમ લેકમાં પ્રચલિત છે એ સ્વીકાર્યા સિવાય છૂટકે નથી. વિજ્ઞાનની ભૌતિક બાજુની સાથે સાથે આધ્યાત્મિક બાજુ તરફ વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy