SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ : ૨૨૭ : છે. સમ્યકત્વ વિનાના જીવની સ્થિતિ આથી ઉલટી હોય છે. એને સામગ્રીની અધિકતાને લીધે નિશ્ચયાત્મક અને સ્પષ્ટજ્ઞાન હોઈ શકે છે, એમ છતાં તે કદાગ્રહ તથા અહંકારને વશ હોઈ પિતાની ભૂલ જણાય તે યે સુધારવા તૈયાર થતું નથી. બેટાને પણ સાચું કરવા મથે છે. સાચું સમજાય છે કે કદાગ્રહાદિ દેષને લીધે તે સ્વીકારવા અચકાય છે. અભિમાનને લીધે, પકડયું ખોટ હોય, ખોટી રીતનું હોય છતાં છેડતું નથી. અહંકારના આવેશમાં વિશેષદશ વિઝાના વિચારેને પણ તુચ્છ ગણે છે. તે આત્મદષ્ટિ યા આત્મભાવના વગરને હેય છે, એટલે પિતાના જ્ઞાનને ઉપગ આધ્યાત્મિક હિતસાધનમાં ન કરતાં સાંસારિક ભેગવાસનાને પોષવા–સંતોષવામાં જ કરે છે, ભૌતિક ઉન્નતિ મેળવવામાં જ કરે છે. મતલબ એ છે કે જે મુમુક્ષુ આત્માઓ છે તેઓ સમભાવના અભ્યાસી અને આત્મવિવેકવાળા હોય છે. એથી તેઓ પિતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે, સાંસારિક વાસનાની પુષ્ટિમાં નહિ. આ કારણથી, લૌકિક દૃષ્ટિએ તેમનું જ્ઞાન ગમે તેટલું અ૫ હોય તે પણ તે સમ્યફજ્ઞાન કહેવાય છે. કેમકે તે તેમને સન્માર્ગે લઈ જાય છે. એનાથી ઊલટું, જેઓ સંસારવાસનાના રસલુપ છે તેવા આત્માઓનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોય છતાં તે સમભાવનું ઉદ્દભાવક ન હોવાથી અને સંસારવાસનાનું પિષક હોવાથી જ્ઞાન ન કહેવાતાં અજ્ઞાન કહેવાય છે. કેમકે તેમનું તે જ્ઞાન તેમને વાસ્તવિક કુશલ માર્ગે ન લઈ જતાં દુર્ગતિના માર્ગે લઈ જાય છે. સંસારવાસનાના પિષણમાં વપરાતું જ્ઞાન કુશલમાગી કેમ કહેવાય ? ઉન્માગી કહેવાય. એથી એ મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) કહેવાય એ દેખીતું છે. હકીકત એવી છે કે મેળવેલા જ્ઞાનને સદુપયેગ પણ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy