SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૪ : જૈન દર્શન : બનાવે છે ત્યારે ચેતનાના તે વખતના પરિણમનને ‘ દર્શન’ કહેવામાં આવે છે. અને જ્યારે ચેતના પદાના સામાન્ય સ્વભાવ તરફ લક્ષ ન કરતાં મુખ્યત્વે પદાર્થના વિશેષ સ્વભાવને લક્ષ્ય બનાવે છે ત્યારે ચેતનાના તે વખતના પરિણમનને ‘જ્ઞાન’ કહેવામાં આવે છે. ચેતનાનું, યેાગ્ય નિમિત્તયેાગે જાણવાની ક્રિયામાં પરિણમન થવું તેનું નામ ઉપયાગ’. આ ઉપરથી જણાશે કે ઉપયેગ એ પ્રકારમાં વહેંચાય છે. સામાન્ય ઉપયેગ અને વિશેષ ઉપયાગ. જે બેષ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે સામાન્ય ઉપયોગ અને જે બેષ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે વિશેષ ઉપયાગ. વિશેષ ઉપયાગ એ સાકાર ઉપયાગ કહેવાય છે અને સામાન્ય ઉપયાગ નિરાકાર ઉપયાગ કહેવાય છે. સાકાર-નિરાકાર શબ્દોમાં આકાર 'ના ‹ વિશેષ અથ લેવાના છે. ‘ નિરાકાર ' એટલે આકારનું ગ્રહણ જેમાં નથી એવા એવા ઉપયેગ, ગ્રહણાત્મક ઉપયાગ તે નિરાકાર ઉપયેગ. ‘દર્શન’ અને વિશેષ ઉપયેગને ‘જ્ઞાન ’ કહેવામાં આવે છે. "2 દનનું લક્ષ સામાન્ય તરફ હેાવાથી તેનાથી એકતા યા સમાનતાનું ભાન નિપજે છે અને જ્ઞાનનુ લક્ષ વિશેષતા તરફ હોવાથી તેનાથી વિશેષરૂપતાનુ’-ભિન્નતાનુ ભાન નીપજે છે. પ્રથમ દર્શન અને પછી જ્ઞાન એ ક્રમ લગભગ સ સાધારણ ગણાય છે. પ્રથમ દર્શન ન હોય તે જ્ઞાન થાય જ કયાંથી ? દર્શન અને જ્ઞાનના ભેદ સમજવા માટે અહીં સ્થૂલ દૃષ્ટાન્ત ઉપયેગી થશે. આપણે ગાયાના સમૂહ છેટેથી જોઇએ ત્યારે આપણને પ્રથમ 6 આ બધી ગાયા છે' એવું સામાન્યતઃ ભાન થશે. આ વખતે આપણે મુખ્યત્વે ગાયામાં રહેલા સામાન્ય તત્ત્વ તરફ ધ્યાન આપીએ છીએ. ગાયાના સમુહ પાસે આવતાં ગાયેાના રંગ, શિંગડાં, કદ વગેરેમાં રહેલી વિશેષતાઓ તરફ લક્ષ આપીએ તે Jain Education International અર્થાત વિશેષનુ અર્થાત્ સામાન્ય સામાન્ય ઉપયાગને For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy