SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ : ૧૯૧ ઃ નહિ. શુદ્ધ અનુકશ્માથી કરેલી દયા કે આપેલી શાન્તિને લાભ પામી સ્વસ્થ થનાર માણસ પછી ગમે તે રીતે તે તેની સાથે એ દયા બતાવનારને કંઈ લેવાદેવા નથી. એને તે ફક્ત પોતાની શુદ્ધ અનુકમ્પાનું પુણ્ય ફળ જ મળે છે. પરંતુ જે કઈ લૂંટારે લૂંટવા માટે જતું હોય અને એ વાત આપણુ જાણવામાં હોવા છતાં એને રસ્તામાં આપણે ત્યાં આશ્રય આપી જમાડીએ તે તે લુંટ કરવામાં જે પાપ કરે તેના ભાગી આપણે થઈએ. (૭) મિત્રી આદી ચાર ભાવનાઓ માનશીકાઇથરનેy aહ્ય” અર્થાત્ સરખા આચાર અને સરખી આદતવાળાઓમાં પરસ્પર મિત્રતા હોય છે, કાં તે થાય છે. આ ઉક્તિ મુજબ, બધા આત્માઓ-નિકૃષ્ટ શ્રેણીના શરીરધારકોથી લઈ ઊંચી ઊંચી કક્ષાના શરીરધારકે સુધીના બધા સંસારવર્તી જી સ્વરૂપે અર્થાત્ પિતાના સત્તાગત મૂળરૂપમાં બિલકુલ એક સરખા હેઈ, અર્થાત્ એ પ્રકારની મૌલિક પૂર્ણ સમાનતાને લઈને બધા પ્રાણીઓમાં પરસ્પર મૈત્રી થવા બાબતની ઉમંગી કલ્પના પેદા થઈ જાય; પરંતુ તિર્યનિના પ્રાણીઓમાં અજ્ઞાનતા અને વિવેકાભાવને લીધે એ (વ્યાપક મૈત્રીભાવ) ન હોવાનું કે ન સાધવાનું સમજી શકાય છે, કિંતુ મનુષ્યમાં તે સમજદારી અને વિશેષ સંજ્ઞાવતા હોવાને કારણે એ સધાવાનું સંભાવ્ય છે, છતાં એ ન હોતાં એને બદલે જ્યારે પશુસૃષ્ટિને ઈર્ષ્યા, દ્વેષ, ક્રૂરતા, વૈરવિધ અને સ્વાર્થાન્ય તાને પ્રગાઢ વંટોળ માણસમાં પથરાયેલે જવામાં આવે છે ત્યારે એવા માણસો પશુસૃષ્ટિને યોગ્ય વાસનામય આવરણના ભિન્નભિન્ન પ્રકારના પડદાઓ ચીરી ઊંચે આવ્યા નથી એમ ફલિત થાય છે. કિન્તુ વિબુદ્ધિ, મનુષ્યના ચિત્તની નિકટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy