SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૦૩ જૈન દાન આત્મહત્યા નથી, કિન્તુ આવેલ મેાતની સામે વીરતાથી આત્મસમર્પણની ક્રિયા છે. એથી મનુષ્ય શાન્તિ અને આનન્દથી પેાતાના પ્રાણત્યાગ કરે છે. માતની પહેલાં એણે જે કરવુ જોઇએ તે એ કરી જાય છે. પણ માત જો ટળી જાય તે એને જખરદસ્તીથી ન ખેાલાવવુ જોઇએ. (૬) અનુકમ્પા અને ફ્રાન યા એ ધર્માંનું મૂળ છે. ચેાગ્ય દાન એ દયાધનું ક્રિયાત્મક પાલન છે-ચાહે એ દાન આપણી શારીરિક, માનસિક, વાચિક અથવા સામ્પત્તિક શક્તિનું હાય. કોઈ પણ વ્યક્તિ જે આપણી દયાથી જીવિત રહેશે તે તે જીવિત રહેશે ત્યાં સુધી જે જે હિંસા આદિ દોષવાળાં કાર્યાં અથવા જે જે અપકૃત્ય કરશે તેની જવાબદારી આપણા ઉપર આવશે એવા લેાકેામાં ભ્રમ ઉત્પન્ન કરવા અને યા તથા દાનના શુભ પ્રવાહુને સૂકવી નાખવાના પ્રયત્ન કરવા એ ઘાર પાપ છે. અમુક વ્યક્તિ ભવિષ્યમાં કેમ વશે એ આપણે જાણતા નથી, છતાંય એવા જ્ઞાનના અભાવમાં તે સારી રીતે નહિ, પણ ખાટી રીતે જ વતશે એવા પૂર્વગ્રહ ધારણુ કરી દયા કરવાથી 'ચિત થવુ' એમાં ઘણું અજ્ઞાન રહેલુ છે. દરેક વ્યક્તિ પોતે સામાન્ય રીતે કેમ વર્તવું એમાં સ્વતન્ત્ર છે, અને તે જો ખોટી રીતે વર્તે, અર્થાત્ આપણા યાપચારની સહાયતાના યેાગે મરવામાંથી અચવા પામેલા માસ દુષ્ટ રીતે વર્તે તે તેણે પેાતાની સ્વતન્ત્રતાના દુરુપયોગ કર્યાં એટલું જ કહી શકાય; પણ તેના દોષ એ માણસને દુઃખમાં સાહાત્મ્ય કરી એનુ જીવન લંબાવવામાં સહાયભૂત થનાર, એને બચાવનાર કે એને રાહત આપનારના ઉપર હાઈ શકે Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy