SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ખંડ પિતાના પૂર્વ ભવમાં શરણે આવેલા પારેવાને અને રાજા દિલીપે ગાયને બચાવવા માટે પોતાના શરીરને ભેગ આપવા તત્પસ્તા બતાવી હતી. પરંતુ નિરર્થક હિંસાના પ્રસંગે પુષ્પપાંખડી દુભાવવા જેટલી પણ હિંસાની જૈન ધર્મ મનાઈ કરે છે. વનસ્પતિમાં બે ભેદ છે. પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જીવ હોય તે “પ્રત્યેક” અને એક શરીરમાં અનંત જીવે હોય તે “સાધારણ”. કંદમૂળ વગેરે “સાધારણ” [ સ્થૂલસાધારણ ] છે. એમને “અનન્તકાય” પણ કહેવામાં આવે છે. ‘ સાધારણ ? કરતાં પ્રત્યેકની ચૈતન્ય માત્રા અતિ અધિક વિકસિત છે. (૫) શરીરનો ઉપયોગ શરીર હાડ, માંસ, લેહી, ચરબી વગેરેનું બનેલું “પૂતળુ” છે અને મળ, મૂત્ર આદિ અશુચિઓથી ભરેલું છે, એ પ્રમાણે શરીર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે વિવેચન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતાં શરીર તે જેનું બનતું હોય તેનું બને. બીજી વસ્તુઓથી બનાવવા જતાં બની શકે નહિ. આપણા કરતાં કુદરત વધુ ડાહી છે. શરીરમાં જે અશુચિ ઉત્પન્ન થાય છે તે શરીરને ટકાવવા માટે ખાનપાન લેવાની આવશ્યકતા હોઈ ખેરાક વગેરેમાં શરીરને ઉપયોગી વસ્તુઓ સાથે સાથે જે નિરુપયોગી વસ્તુઓ મળેલી છે તેને લીધે છે. શરીર એક * “ સૂક્ષ્મસાધારણ' છે અને સૂક્ષ્મ પૃથ્વી-જલ–તેજ–વાયું છથી સમગ્ર કાકાશ ઠાંસી ઠાંસીને ભરેલું છે. એ પરમસૂક્ષ્મ જીવો બિકુલ સંઘર્ષ-વ્યવહારમાં આવતા નથી. “સાધારણ”ને નિગોદ ” પણ કહે છે. માટે “સૂક્ષ્મ સાધારણ અને સૂક્ષ્મનિગોદ અને “સ્કૂલ સાધારણ ને યૂલનિગેદ (બાદરનિમેદ) કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy