SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખંડ ૧૬૯ઃ મહારંભથી મિલેમાં બનેલાં આકર્ષક અને બારીક વસ્ત્રોના બદલે હાથકંતામણ અને હાથવણાટના અપારંભથી બનેલ ખાદી વાપરવામાં સતેષ માનવામાં. પંચેન્દ્રિય માછલીઓને ચીરીને મેળવેલાં મોતીના દાગીના અને ચઉરિંદ્રિય કીડાઓને નાશ કરી ઉત્પન્ન કરવામાં આવેલ રેશમનાં વસ્ત્રો ન વાપરવામાં. પશુઓને વધ કરી મેળવેલાં ચામડાંઓના જોડા વગેરે ચીજવસ્તુઓના વપરાશને ત્યાગ કરી મૃત ઢોરનાં ચામડાંથી બનેલી ચીજવસ્તુઓ વાપરવામાં. શૃંગારપ્રેરક નાટક, સિનેમા જેવાનું મૂકી દેવામાં. પુરુષને દાગીનાની જરૂર નથી અને સ્ત્રીઓને સૌભાગ્યદર્શક દાગીના સિવાય અન્ય દાગીના પહેરવાની જરૂર નથી, છતાં શ્રીમંતાઈનું પ્રદર્શન કરવા માટે અથવા બીજાઓને આંજી નાખવા માટે દાગીનાના ઠઠારા નહિ કરવામાં. પફ પાવડર અને લિપસ્ટિક વગેરેથી કૃત્રિમ રીતે લોકેનું આકર્ષણ કરવામાં જે વિલાસપ્રિયતાનો પરિચય આપવામાં આવે છે તેને ત્યાગ કરી ખરી શેભા શીલપાલનમાં રહેલી છે એમ સમજી તદનુસાર વર્તાવામાં. કેવલ સ્વાદ ખાતર “કેલ્ડડ્રેિક” નામે ઓળખાતાં પણ પીવા મૂકી દેવામાં– સયમમૂલક ત્યાગ રહેલે છે. (૨) પ્રેમમૂલક ત્યાગ. પિતાને અપ્રાપ્ત હેય છતાં પ્રાપ્ત થઈ શકે એવી ચીજવસ્તુઓ–અછતના પ્રસંગે બીજાની ખરે. ખરી જરૂરીઆત પૂરી પાડવાને માટે પોતે સંકેચ કે અગવડ વેઠી બીજાની સગવડ ખાતર–લેવાની ના પાડવી અને તેમને ઉપયોગ અથવા ઉપગ છોડી દે એ પ્રેમમૂલક ત્યાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy