SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૪: જૈન દર્શન અને ત્યારે તે ધ્યાન “પૃથક્લવિતર્ક સવિચાર” નામનું શુક્લધ્યાન કહેવાય છે. એ નામનો અર્થ આ પ્રમાણે “પૃથકત્વ” એટલે ભેદ, ભેદપ્રધાન વિતર્ક (ચિતન) તે પૃથકત્વવિતર્ક. એ એક ગ” ઉપરથી બીજા “ગ” ઉપર અથવા અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર-એમ સંચરતું (વિચરતું ) હોવાથી “વિચાર” કહેવાય છે. [ “વિચાર”ને અર્થ અહીં વિચરણ છે.] આમ આ ધ્યાન વિચરણશીલ છતાં એકદ્રવ્યવિષયક હેવાથી મનઃ ધૈર્યરૂપ છે. જ્યારે એ ભેદપ્રધાન મટી અભેદપ્રધાન ચિંતન બને છે અને તે પણ એક જ પર્યાય ઉપર, ત્યારે તે “એકત્વવિતર્ક” કહેવાય છે. એ ઉપલા ધ્યાનની જેમ ફરતું ધ્યાન ન હોવાથી અવિચાર” (વિચરણ વગરનું) કહેવાય છે. પહેલી શ્રેણીના શુકલધ્યાન કરતાં આ બીજી શ્રેણુંનું શુક્લધ્યાન અતિપ્રખર હોય છે, જે મન-વચન-કાય એ ત્રણ ગેમાંથી કે એક જ પેગ ઉપર પૂર્ણ અટલ રહી પ્રવર્તે છે. પહેલા શુક્લધ્યાનનો અભ્યાસ દઢ થયા પછી આ બીજા શુકલધ્યાને માટે સમર્થ થવાય છે. જેમ આખા શરીરમાં વ્યાપેલા સર્ષે આદિના વિષને મંત્રાદિ ઉપાય વડે ડંખની જગ્યા પર લાવી મૂકવામાં આવે છે, તેમ આખા જગતના પદાર્થોમાં અસ્થિરપણે ભ્રમણશીલ મનને ધ્યાન વડે કેઈ એક અણુપર્યાય ઉપ૨ લાવી સ્થિર કરવામાં આવે છે. એ સ્થિરતા સુદઢ થતાં (પૂર્ણ ઉત્કર્ષે પહોંચતાં) મન પૂર્ણ શાન્ત થઈ જાય છે. જેમ ઇન્જન શેષ નહિ રહેવાથી અથવા ધનને સંબંધ ખતમ થવાથી આગ+ + ત્રિરાષિય ધ્યાનાકર્થ ઘા ને મના ! विषमिव साङ्गगत मन्त्रबलान्मान्त्रिको दशे ।। १९ ॥ अपसारितेन्धनभरः शेषस्तोकेन्धनोऽनलोज्वलितः। तस्मादपनीतो वा निर्वाति यथा मनस्तद्वत् ।। २० ।। (હેમચન્દ્ર, ગશાસ્ત્ર, ૧૧મો પ્રકાશ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy