SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખડ : ૧૫૫ : ' અને હું વાસ ”ના અર્થ ઉપ ”ને અથ પાસે વસવુ થાય છે; એટલે ઉપવાસ”ને અર્થ “ આત્માની પાસે, અર્થાત્ આત્માની શુદ્ધ સ્થિતિમાં વસવુ ” એવા થાય છે. જેટલે અંશે આ અર્થ સધાય તેટલે અંશે ઉપવાસ તપ બને છે. આબેલ”થી * સેલેલુપતા ઉપર અંકુશ લાવવાનું પ્રત્યેાજન સાધવાનુ` છે, અને તબીઅતના સમીકરણમાં પણ એ ઉપયેગી થઈ શકે છે. એકાશનથી ભાજનની ખટપટ એકવારમાં પતી જાય છે અને તબીઅત હળવી બનવા સાથે કાર્ય પ્રવૃત્તિ માટે વધુ અવકાશ મળી રહે છે. બાહ્ય તપ બાહ્ય હાવાથી એના તરફ લેાકેાનુ ધ્યાન જલ્દી ખેચાય છે, તેમ જ એના પાલનમાં વિશેષ ચેાગ્યતાની આવશ્યકતા પણ હોતી નથી, યશ અને પ્રશંસા પણ શીઘ્ર મળી જાય છે, એટલે એ જલ્દી પ્રચાર પામી જાય છે. એની ઉપયેાગિતા તથા મર્યાદાના પણ ખ્યાલ લેકમાં રહેતે નથી. બાહ્યતપની વિશેષ ઉપયેાગિતા એમાં હતી કે લેક પેતાના સ્વાસ્થ્યને સ‘ભાળે, તથા અવસર આવતાં કષ્ટને સામને કરી શકે એ માટે કષ્ટસહિષ્ણુતાના અભ્યાસ કરતા રહે; પણ એ બન્ને બાબતને વિચાર કરાતા નથી. એ સધાતી પણ નથી. ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા લેાકેાના ધ્યાન પર આવે છે, પણ સમજવું' જોઇએ કે બાહ્ય તપ કરતાં અન્તરંગ તપ એ મહર્ષિમાં વધારે હતા—ખૂબ જ વધારે, જેના તરફ પહેલુ ધ્યાન જવું જોઇએ, જે પહેલું' લક્ષ્ય બનવુ' જોઇએ. * આંખેલ ’ એકવાર ભાજન કરવાનુ વ્રત છે પણ તે ભોજનમાં દૂધ, દહીં, છાશ, તેલ, ઘી, ગોળ, ખાંડ તથા મરચુ વગેરે મસાલા તેમજ લીલાં-સૂકાં શાકભાજી-ફળ એ બધાના ત્યાગ હાય છે. ઘઉં-બાજરી-મગઅડદ-ચણા-ચાખા વગેરે અનાજને ખોરાક દાળ-ભાત-રોટી વગેરે લેવાય છે. ધાણી ચણા-મમરા લેવાય છે. નમક, સૂંઠ, કાળા મરી લેવાય છે. Jain Education International > : For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy